Aapnu Gujarat
ગુજરાત

થરામાં ઠાકોર બોર્ડિંગના વિદ્યાર્થીઓને સ્વ. હેડ કોન્સ્ટેબલ નાગજીજીના પરિવારે ભોજન કરાવ્યું

કાંકરેજ તાલુકાના થરામાં આવેલી કાંકરેજ ઠાકોર સમાજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સદારામ વિદ્યા મંદિર તથા સ્વસ્તિક વિદ્યાલયના ૭૦૦ બાળકોને આજે ઠાકોર કેળવણી મંડળના પ્રમુખ ભુપતજી ઠાકોર, શાળા આચાર્ય અભુજી ઠાકોર, રાણાજી ઠાકોર, દશરથજી ઠાકોર તથા દાતાઓ સ્વર્ગસ્થ હેડ કોન્સ્ટેબલ નાગજીજીનાં પત્ની પાર્વતીબેન ઘાંઘોષ, તથા તેમના પુત્રો વિશાલ, પ્રવિણ, ગૌરવ ઘાંઘોષની ઉપસ્થિતિમાં બાળકોને તેમના સ્વર્ગસ્થ પિતાની યાદમાં ભોજન કરાવ્યું હતું. બાળકોને ભોજન આપનાર સ્વર્ગસ્થ નાગજીજી ના પુત્રોનું કેળવણી મંડળના પ્રમુખ ભુપતજી ઠાકોરે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.


(તસવીર/ અહેવાલ-મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

જળસંચય અભિયાનને લોકો દ્વારા સારો પ્રતિસાદ : રામણદા ગામે તળાવ ઉંડા કરવાનો પ્રારંભ

aapnugujarat

ગ્રાહકો પાસેથી પ્લોટના પૈસા ઉઘરાવી એજન્ટે જમા ન કર્યાં

aapnugujarat

સસ્પેન્ડેડ સભ્યોને દિલ્હીનું તેડું : મોવડીઓ સાથે ચર્ચા કરાશે : ગૃહમાં ગરિમા હણાતાં કોંગી હાઇકમાન્ડે નોંધ લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1