Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ સમાન ‘સ્વચ્છતા અભિયાન’ને સફળ બનાવવાનાં હેતુસર દેશની અગ્રણી પેટ્રોલિયમ કંપની બીપીસીએલ દર વર્ષે ૧ થી ૧૫ જુલાઈ સુધી અલગ – અલગ શહેરોમાં સ્વચ્છતા અભિયાન યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરતી હોય છે જેનાં ભાગરૂપે આજે અમદાવાદ શહેરનાં દિલ્હી ગેટ વિસ્તારની આસપાસ અમદાવાદનાં બે સેલ્સ ઓફિસર વૈભવ લાખે અને આંચલ જૈન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જેમાં કેટલાંક પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ જોડાયા હતાં.
ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિક પર્યાવરણ ખતરનાક છે અને જેમ બને તેમ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકોને કહેવામાં આવ્યું હતું. દુકાનદારો અને રાહદારીઓને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

ઉનામાં ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઈની હત્યા કરી

editor

માંડલ ખાતે મેઘમણી પરિવાર દ્વારા રક્ત દાન કેમ્પ યોજાયો

editor

નવા વર્ષ માટે બુલેટ પ્રુફ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1