Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીના સાત મંત્રી ચૂંટણી નથી લડી રહ્યા તો કોણ લડી રહ્યું છે : શશી

લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં નરેન્દ્ર મોદી સરકારના ઘણા મંત્રીઓ ચૂંટણી નથી લડી રહ્યા. તેઓ સીધા મેદાનમાં વિરોધી દળના ઉમેદવારોથી મુકાબલો કરવાની જગ્યાએ પાર્ટીના ઉમેદવારો તરફથી પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે. તેમાં કેટલાક મંત્રી છેલ્લી લોકસભાની જગ્યાએ રાજયસભા મંત્રી બની રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂરે આવા મંત્રીઓને લઇને મોદી સરકાર પર ટિપ્પણી કરી છે. શશી થરૂરે ટ્‌વીટ કરી કહ્યું કે મોદી સરકારના વિદેશ મંત્રી, નાણા મંત્રી, સંરક્ષણ મંત્રી, રેલવે મંત્રી, પેટ્રોલિયમ મંત્રી, શિક્ષણ મંત્રી, કોયલા મંત્રી તમામ લોકો ચૂંટણી નથી લડી રહ્યા, લોકસભા સ્પીકર ચૂંટણી નથી લડી રહી, નિયામક મંડળ ચૂંટણી નથી લડી રહ્યું, તો ચૂંટણી કોણ લડી રહ્યું છે.? નિરહુઆ યાદવ, સની દેઓલ, પ્રજ્ઞા ઠાકુર. આ રીતે કોંગ્રેસ નેતા શશી થરૂરે અનેક વરિષ્ઠ નેતાઓની જગ્યાએ અભિનેતાઓ અને માલેગાંવ બોમ્બ વિસ્ફોટના આરોપીને ચૂંટણી લડાવવા અંગે ભાજપ સામે ટિપ્પણી કરી છે. શશી થરૂરે અમેઠી સિવાયના વાયનાડથી પણ રાહુલ ગાંધીની લોકસભાની ચૂંટણી લડવા પર કહ્યું કે તેમનો નિર્ણય દર્શાવે છે કે તેમને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, બંનેમાં વિજયનો વિશ્વાસ છે. શશી થરૂરે પ્રશ્ન કર્યો છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં કેરળ અથવા તામિલનાડુની કોઈ બેઠક પરથી ચૂંટણી લડવાનું સાહસ છે? તેમણે કહ્યું કે કેરળના વાયનાડ ચૂંટણી ક્ષેત્રમાંથી રાહુલના ચૂંટણીમાં ઉભા રહ્યા પછી દક્ષિણ રાજ્યમાં આ મુદ્દાને લઇને ’ઉત્સાહ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે કે આગામી વડાપ્રધાન તેમના ક્ષેત્રથી કોઇ ઉમેદવાર બની શકે છે.

Related posts

આઇટી વિભાગને પડકારતી રોબર્ટ વાડ્રાની અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી

aapnugujarat

ભારતે ગયા વર્ષે ૨.૧૬ લાખ કરોડના હીરાની નિકાસ કરી : રિપોર્ટ

aapnugujarat

આઇએનએસ કરંજન ૧૦ માર્ચે થશે ભારતીય નૌસેનામાં સામેલ

editor

Leave a Comment

UA-96247877-1