Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જો મોદીજી ચોકીદાર છે, તો બિહારની જનતા છે થાનેદાર : તેજસ્વી યાદવ

રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે કહ્યુ છેકે, દેશને એવા પ્રધાનમંત્રી જોઈએ છે, જે શોષિતો અને ગરીબોની વાત કરે. તેમણે કહ્યુ હતુકે, દેશને અમીરોની ચોકીદારી કરતાં પ્રધાનમંત્રીની જરૂર નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતીમાં સમસ્તીપુરમાં ચૂંટણી સભાને સંબોધતા તેજસ્વીએ કહ્યુ હતુકે, મોદીના બધા જ દાવા અને વાયદા જુઠ્ઠા છે.
તેમણે પ્રધાનમંત્રી પર નિશાન સાધતા કહ્યુ હતુકે, તેઓ ખોટુ બોલવાની ફેક્ટ્રી, મેન્યુફેક્ચરર, હોલસેલર અને રિટેલર પણ છે. જો મોદીજી ચોકીદાર છે, તો બિહારની જનતા થાનેદાર છે. અને આ થાનેદાર તમને છોડશે નહી.બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વીએ ૨૦૧૪ના ‘હર હર મોદી, ઘર ઘર મોદી’ના નારાને યાદ કરતા કહ્યુ હતુકે, અમે લોકો તો ત્યારે પણ કહેતા હતાકે, આ બડબડ મોદી અને ગડબડ મોદી છે. અને આજે એ વાત સાબિત થઈ ગઈ છે. વિરોધીઓ ફક્ત મોદીની જ વાતો કરે છે. જ્યારે મહાગઠબંધન મોદીની નહી, પરંતુ મુદ્દાઓની વાત કરે છે. અમે દેશ, સમાજ, ભાઈચારા અને રોજગારની વાતો કરીએ છીએ.
તેજસ્વીએ મુખ્યમંત્રી નીતીશ કુમાર ઉપર પણ દારૂબંધીને લઈને પ્રહાર કર્યા હતા. તેમણે નીતીશ કુમારને પલટુ ચાચા સંબોધી કહ્યુ હતુકે, પલટુ ચાચા વિશે શું બોલું, એવો કોઈ સગો નથી જેની સાથે ચાચાએ ઠગાઈ ન કરી હોય. બાળપણમાં મૂવી જોઈ હતી ” ચાચી ૪૨૦ ” અને હવે જોઈએ છીએ ” ચાચા ૪૨૦ .” દારૂબંધી પર સવાલ ઉઠાવતા તેજસ્વીએ કહ્યુ હતુકે, કાયદો ફક્ત કાગળ પર છે, દારૂનીતો હોમ ડિલિવરી થાય છે. આરજેડી નેતાએ જોર દઈને કહ્યુ છેકે,નીતીશ કુમારની સરકાર અપરાધ, ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા સહિતના મોર્ચે નિષ્ફળ રહી છે.

Related posts

ઓવૈસીએ કહ્યું – મોદીએ તેમના ભાષણમાં તમામ તહેવારોના નામ લીધા, ઈદને ભૂલી ગયા ?

editor

અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન ઉપર બેન

aapnugujarat

દિવાળીની ટીપ્સ ભારે પડી કોહલીને

editor

Leave a Comment

UA-96247877-1