Aapnu Gujarat
ગુજરાત

૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવશે

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિરમગામ શહેરમાં ૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિનની ઉજવણી કરવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ છે. થોડી સાવચેતી રાખવામાં આવે તો મેલેરીયાથી બચી શકાય છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે વિરમગામ શહેરમાં આરોગ્ય કર્મચારીઓ માટે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવશે અને લોકોને મેલેરીયા રોગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવશે. વિરમગામ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા 104 ટોલ ફ્રી ફિવર હેલ્પ લાઇન વિશે માર્ગદર્શન આપવામાં આવશે. જુન માસની મેલેરીયા વિરોધ માસ તરીકે અને જુલાઇ માસની ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવશે.

વિરમગામ તાલુકા હેલ્થ સુપરવાઇઝર કે.એમ.મકવાણા એ જણાવ્યું હતું કે, મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. ઉલટી ઉપકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.

Related posts

તલોદમાં નકલી પોલીસ ઝડપાઈ

editor

બિસ્માર રસ્તાઓનું કામકાજ કન્સલ્ટન્ટ્‌સના લીધે અટવાયું

aapnugujarat

દક્ષિણ-પશ્ચિમ મોનસુન હાલ સામાન્ય કરતા એક ટકા વધુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1