Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બદરીનાથ-કેદારનાથ મંદિરના કપાટ ૯મેએ ખૂલશે

મહાશિવરાત્રિનાં શુભ અવસરે શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ તરફથી આયોજિત સમારંભમાં કેદારનાથનાં કપાટ ખુલવાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છએ. આ પહેલાં વસંતપંચમીનાં અવસર પર બદરીનાથનાં કપાટ ખુલવાની તારીખની જાહેરાત થઇ ગઇ છે. શ્રી કેદારનાથ ભગવાનનાં શીતકાલી ગદ્દી સ્થળ શ્રી ઓંકારેશ્વર મંદિર ઉખીમઠમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૯માં આદિ ગુરૂ શંકરાચાર્યની જયંતીનાં અવસરે ૯ મેની સવારે ૫.૩૫ વાગ્યે બાબા કેદારનાથનાં કપાટ ખુલશે. શ્રી શ્રી કેદારનાથ ધામ માટે પંચમુખી ડોલી ઉખી મઠથી ૬ મેનાં રોજ પ્રસ્થાન કરશે.
૯ મેનાં ગુરૂવારનાં રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિયોગનો શુભ સંયોગ બને છે. આદિગુરૂ શંકરાચાર્ય ભગવાન શિવનાં અવતાર માનવામાં આવે છે. તેમને જ કલિયુગમાં બદરીનાથ અને કેદારનાથની પૂજા આરંભ કરાવી હતી. તેમનાં જન્મદિવસનાં અવસર પર કેદારનાથનાં કપાટ ખુલવા સૌથી મોટો શુભ સંયોગ માનવામાં આવે છે.
૧૦મેનાં સર્વાર્થ સિદ્ધિ યોગમાં ભગવાન બદરીનાથનાં કપાટ ખુલશે. ૭ મેનાં અક્ષય તૃતીય છે જે અવસર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા શરૂ થશે. ૭ મેનાં રોજ સૌથી પહેલા ગંગોત્રી અને યમુનોત્રીનાં કપાટ ખુલશે.

Related posts

बिजबेहरा में सुरक्षाबलों ने दो आतंकियों को किया ढेर

aapnugujarat

TS CM KC Rao to visit Vijayawada for inviting AP CM Reddy for Kaleswaram Lift Irrigation Project

aapnugujarat

કર્ણાટકમાં ભાજપ ૧૨૫થી વધારે સીટો જીતશે : યેદીયુરપ્પા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1