Aapnu Gujarat
રમતગમત

આતંકવાદને હરાવવા ભારત-પાકિસ્તાને ગળે મળવું પડશે : વસીમ અકરમ

હાલ દેશની સીમાઓ પર તનાતની વધી છે. ભારત અને પાકિસ્તાન એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. બન્ને દેશની સેનાની હલચલો તેજ થઇ ગઇ છે. બન્ને પાડોશી દેશો વચ્ચેના તનાવને જોતા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ક્રિકેટર વસીમ અકરમે એક ખાસ ટ્‌વીટ કરીને ભારતને સંદેશ પાઠવ્યો છે.
આ ટ્‌વીટમાં વસીમ અકરમે ભારતને કહ્યું કે, લખ્યુ છે- ’હું ભારે હ્રદયે તમને આ કહી રહ્યો છું કે ભારત, પાકિસ્તાન તમારુ દુશ્મન નથી. તમારો દુશ્મન, અમારો દુશ્મન છે. કેટલું લોહી વહાવ્યા બાદ આપણે એ વાત સમજીશુ કે આપણે બન્ને એક જ લડાઇ લડી રહ્યાં છીએ. જો આપણે આતંકવાદને હરાવવું હશે તો ગલે મળવું પડશે.’
નોંધનીય છે કે, ભારતીય વાયુસેનાએ ૨૬ તારીખે વહેલી સવારે એલઓસીમાં ઘૂસીને જૈશના ૩૫૦થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. બાદમાં બોખલાયેલી પાકિસ્તાને વળતો એટેક કર્યો હતો. હાલમાં પાકિસ્તાનનો દાવો છે કે એક ભારતીય પાયલટ અમારી પાસે છે.

Related posts

Fifa Best Award : रोनाल्डों को पछाड़ मेसी फिर बने ‘फुटबॉल किंग’

aapnugujarat

કન્ફરડેશન કપ : જર્મની અને ચીલી વચ્ચે ફાઇટ ટુ ફિનિશનો તખ્તો તૈયાર કરાયો

aapnugujarat

ઇંગ્લેન્ડમાં ૨૧ જુલાઈથી ‘ધ હન્ડ્રેડ’ ક્રિકેટ લીગ શરૂ થશે

editor

Leave a Comment

UA-96247877-1