Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના કેસ ઘટ્યાં

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે. સ્વાઈન ફ્લુના હાહાકાર વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ સપાટી પર આવ્યા છે. અલબત્ત, તંત્રના પગલાની અસર પણ દેખાઈ રહી છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ૧૬મી ફેબ્રુઆરી સુધીના ગાળામાં માત્ર ૧૬ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ૧૭૫, કમળાના ૬૩, ટાઈફોઈડના ૧૦૦ કેસો નોંધાયા છે. જ્યારે સાદા મલેરીયાના ૧૬ અને ડેન્ગ્યુના પાંચ કેસ સપાટી પર આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન લોહીના ૧૦૭૬૬૭ નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ફેબ્રુઆરી ૨૦૧૯માં હજુ સુધી ૩૯૫૩૮ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે ફેબ્રુઆરી ૨૦૧૮માં ૨૨૨૭ સિરમ સેમ્પલની સામે આ વર્ષે ફેબ્રઆરીમાં ૩૩૧ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી તેમને તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે. ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી અનેક નમૂના પ્રમાણિક જાહેર થયા છે. ક્લોરિન ટેસ્ટ, બેક્ટિરોલોજીકલ તપાસ, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓનું વિતરણ સહિતના પગલાઓ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે.

Related posts

અયોગ્ય વ્યવસ્થાથી ગુજરાત દેવાળીયું બનવા દિશામાં છે : પરેશ ધાનાણી

aapnugujarat

વેજલપુરમાં બે હવસખોર ઝબ્બે

aapnugujarat

वडोदरा में बेटा ने मां को उतारा मौत के घाट

editor

Leave a Comment

UA-96247877-1