Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુલાયમસિંહની ઉંમર થઇ ગઇ,તેમને ખબર નથી રહેતી કે શું બોલે છે : રાબડી દેવી

મુલાયમ સિંહ યાદવે બુધવારે લોકસભામાં વડાપ્રધાન મોદી અંગે જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે, નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને. તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના નેતા રાબરી દેવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મુલાયમની ઉંમર થઇ ગઇ છે.
રાબરી દેવીએ મુલાયમ સિંહ અંગે જણાવ્યું હતું કે, તેમની હવે ઉંમર થઇ ગઇ છે અને તેમને ખબર નથી કે કયારે શું બોલવું. તેઓ જે બોલ્યા છે એનું કોઇ મહત્વ નથી રહેતું.
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા મુલાયમ સિંહે સંસદમાં જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને. એટલું જ નહી તેમણે જણાવ્યું હતું કે, જે સભ્યો આ વખતે જીતીને આવ્યા છે તેઓ ફરીથી જીતીને આવે. મુલાયમ સિંહના આ નિવેદન બાદ ભાજપના નેતાઓ તો પ્રસન્ન થઇ ગયા હતા પરંતુ એસપીના નેતાઓ મુલાયમ સિંહને લાલા આંખે જોઇ રહ્યા હતા.

Related posts

આગામી ત્રણ સપ્તાહમાં કોરોના સંક્રમણ ચરમસીમા પર પહોંચશે

editor

આધાર રજિસ્ટ્રેશન અને તેને અપડેટ કરાવવાની કોઈ જ અંતિમ સમયમર્યાદા નથી

aapnugujarat

‘हाउडी, मोदी!’ इवेंट के लिए ५० हजार लोगों ने किया रजिस्ट्रेशन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1