Aapnu Gujarat
મનોરંજન

નરગીસને પર્સનલ પ્રશ્નો થતા પ્રમોશન છોડવાની ફરજ

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ફ્લોપ રહેલી નરગીસ હાલમાં પોતાની નવી ફિલ્મ અમાવસ ફિલ્મના પ્રમોશનને લઇને વ્યસ્ત થયેલી છે. તે હોરર ફિલ્મમાં કામ કરી રહી છે. જો કે એવા અહેવાલ આવ્યા છે કે નરગીસ પોતાની આવનાર ફિલ્મ માટે પ્રમોશન કરનાર નથી. કારણ કે તેને હાલમાં કેટલાક પ્રશ્નો અયોગ્ય રીતે કરવામાં આવ્યા હતા. ભુષણ પટેલના નિર્દેશનમાં નવી ફિલ્મ અમાવસ બની રહી છે. આ ફિલ્મ આઠમી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. નરગીસે હાલમાં અલોન્જો સાથે સંબંધ અને ઉદય ચોપડા સાથે સંબંધના મામલે વિગત આપવાનો ઇન્કાર કર્યો હતો. તે બોલિવુડમાં એક નવી ઇનિગ્સ શરૂ કરવા જઇ રહી છે. તે પહેલા સંજય દત્તની સાથે એક ફિલ્મમાં નજરે પડી હતી. ફિલ્મમાં નરગીસ એક એનજીઓ વર્કર આયશાની ભૂમિકા અદા કરી હતી. અફઘાનિસ્તાનમાં રેફ્યુજી કેમ્પમાં રહેતા બાળકોની કાળજી લેતી તે ફિલ્મમાં નજરે પડી હતી. ફિલ્મને ગિરિશ મલિક નિર્દેશિન કર્યુ હતુ જે પહેલા ગિરિશે વર્ષ ૨૦૧૪માં જળ ફિલ્મ બનાવી હતી. તેમની આ ફિલ્મે સ્પેશિયલ ઇફેક્ટ્‌સ માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો. નરગીસને બોલિવુડમાં એક સેક્સી સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તે પોતાની આ પ્રકારની છાપને લઇને પણ પરેશાન થયેલી નથી. મળેળા અહેવાલ મુજબ નરગીસ પોતાની છાપ મુજબના રોલ કરવા માટે પણ ઇચ્છુક છે. નરગીસની બોલિવુડમાં અનેક સ્ટાર સાથે સીધી સ્પર્ધા છે. નરગીસ ફિલ્મના કારણે ચર્ચામાં રહી છે.

Related posts

अब गांव और किसानों पर फिल्म बनाएंगे अक्षय कुमार

aapnugujarat

રિતિક ‘સુપર ૩૦’ બાદ વધુ વ્યસ્ત હશે

aapnugujarat

રણબીર અને કેટરીનાના બ્રેકઅપ પર પહેલીવાર સામે આવી હકિકત, જાણો બ્રેકઅપનું રહસ્ય..

editor

Leave a Comment

UA-96247877-1