Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગમે તેટલા ગઠબંધન કરો, યુપીમાં ૭૨થી વધારે સીટ ભાજપ જ જીતશે : રાજનાથ સિંહ

દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહએ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને લઇને એકદમ ધારદાર નિવેદન આપ્યું છે. ગઠબંધનને લઇને રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જેટલા પણ ગઠબંધન કરવા હોય તેટલા કરો યુપીમાં ભાજપ ૭૨થી પણ વધારે સીટ પર જીત હાસીલ કરશે. સોમવારે રાજનાથ સિંહ એક દિવસયી રાજકીય પ્રવાસને ધ્યાનમાં લઇ લખનઉ પહોંચ્યા હતા. દેશના ગૃહમંત્રી અને લખનઉથી સાંસદ તરીકે ચૂંટાયેલા નેતાએ મજાક કરતા કહ્યું હતું કે એસપી અને બીએસપી ભૂલી ગઇ લાગે છે કે ૨૦૧૭માં કેવી હાલત થઇ હતી. તેઓ ગમે તેટલા ગઠબંધન બનાવીલે યુપીમાં ભાજપ ૮૦ સીટોમાંથી ૭૨થી પણ વધુ સીટ પર જીત હાસીલ કરશે. લખીમપુરમાં યોજવામાં આવેલા એક સેનાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજનાથ સિંહ લખનઉ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સેનાન વખાણ કરતા જણાવ્યું હતું કે ભારતીય સેનાના જવાનોને કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર પર સંપૂર્ણ ભરોસો છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ એસપી અને બીએસપી દ્વારા ઐતિહાસિક ગઠબંધનની રચના કરવામાં આવી છે. રાજ્યની લોકસભાની ૮૦ બેઠકમાંથી ૭૬ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે. જ્યારે એ સિવાય અન્ય માટે બે સીટ અને કોંગ્રેસ માટે બે સીટ છોડવામાં આવી છે.

Related posts

कमल हासन ने हिंदु आतंकवाद पर बहस छेड़ी

aapnugujarat

ચીન કરતાં ભારતમાં વધુ ભ્રષ્ટાચાર, સૌથી ભ્રષ્ટ દેશોમાં ૮૧મુંં સ્થાન

aapnugujarat

દુષ્કર્મનાં દોષી ગુરમીત રામ રહીમને મળી પેરોલ

editor

Leave a Comment

UA-96247877-1