Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આતંકવાદીઓ સામે ભારતીય સેના મોટી કાર્યવાહીથી ચૂકશે નહીં : બિપિન રાવત

ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે પાકિસ્તાન બોર્ડર પર આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા માટે ભારતીય સેના કડક પગલા લેવામાં આવશે. જનરલ રાવતે પાતિસ્તાનની તરફ ઇશારો કરતા કહ્યું કે ભારતની પશ્ચિમ બોર્ડર બાજુનો દેશ આતંકવાદી સમૂહની મદદ કરી રહ્યો છે અને ભારતીય સેના તેનો અસરકારક રીતે સામનો કરી રહી છે.
સેના દિવસ પર સૈનિકોનું સંબોધન કરતા રાવતે કહ્યું કે અમે તે ખાતરી કરી રહ્યાં છે કે જમ્મૂ-કાશ્મીર બોર્ડર પર જુસ્સો ઉચો છે. જનરલ રાવતે કહ્યું કે ભારતીય સેના પશ્ચિમ બોર્ડર પર આતંકવાદી પ્રવૃતિઓનો સામનો કરવા માટે કોઇ કડક કાર્યવાહી કરવાનું ચૂકશે નહીં.
તેમણે કહ્યું કે પૂર્વ સેક્ટરમાં બોર્ડર પર શાંતિ તેમજ મિત્રતા બનાવી રાખવા માટે નવા દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ચીન બોર્ડરના સંદર્ભમાં જનરલ રાવતે કહ્યું કે અમે પૂર્વ બોર્ડર પર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આપણા સૈનિક પૂર્વ વિસ્તારની બોર્ડર પર નજર રાખવા માટે કોઈ પ્રકારની છૂટછાટ રાખશે નહીં. જનરલ રાવતે કહ્યું કે સેનાનું વ્યાપક સ્તર પર આધુનિકકરણ ચાલી રહ્યું છે.

Related posts

રાહુલ-પ્રિયંકા દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરી સમય બર્બાદ કરી રહ્યાં છે : કેજરીવાલ

aapnugujarat

મધ્યપ્રદેશનો ગઢ બચાવવા ભાજપ ‘જાદુગરો’નો સહારો લેશે

aapnugujarat

બે લાખ રૂપિયાથી વધુની રોકડ લેવડદેવડ ઉપર દંડ : આઈટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1