Aapnu Gujarat
Uncategorized

મોતનો સામાન ઘરેથી જ લઇને નિકળું છું : ભાજપ સાંસદ પ્રભાત ઝા

ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભા અને રાજ્યસભા સાંસદ પ્રભાત ઝાએ આજે મધ્યપ્રદેશનાં ગુના અશોકનગરથી કોંગ્રેસ સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનાં સમર્થક દ્વારા તેમને કથિત રીતે ધમકી આપવા અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ઘરેથી હાથમાં મોતનો સામાન લઇને જાય છે. તેઓ ભાજપ વિસ્તાર કાર્યક્રમ હેઠળ અહીં પ્રવાસ દરમિયાન પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા હતા.
ઝાએ કહ્યું કે તેમણે પત્રકારત્વ દરમિયાન માધોસિંહ, મોહરસિંહ સહિત ઘણા ડાકુઓ સાથે ઇન્ટરવ્યુ કર્યા હતા, જો કે તેમનાથી પણ નહોતો ડર્યો. તેમણે કહ્યું કે તેઓ એવી ધમકીઓથી નથી ડરતા. રાજ્યસભા સાંસદે સિંધિયાને પડકારતા કહ્યું કે આવખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ તેમની વિરુદ્ધ એવો સભ્ય ઉતારશે, જે તેમને ટક્કર જ ન આપી શકે પરંતુ સંપુર્ણ ટક્કર પણ લેશે.તેમણે કહ્યું કે આ વખતે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનાં રડાર પર ત્રણ લોકસભા ક્ષેત્ર છે. તેમાં ગુના સંસદીય ક્ષેત્ર પણ છે. સિંધિયા દ્વારા તેમને છાપા વહેંચવાવાળો ગણાવાયા બાદ તેમણે કહ્યું કે હવે દેશમાં કોઇ રાજા મહારાજાઓનો યુગ નથી. હવે લોકશાહીમાં ચા વેચવાવાળો વ્યક્તિ પણ વડાપ્રધાન બની શકે છે. ઝાના અનુસાર જિલ્લાની પર્યટન નગરી ચંદેરીને દેશની સર્વશ્રેષ્ઠ પર્યટ નગરી બનાવવા માટેનું કામ ચાલુ થઇ ચુક્યું છે.

Related posts

ગુજરાત હાઇકોર્ટે રૈયાણી હત્યાકેસમાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આજીવન કેદ ફટકારી

aapnugujarat

विपक्ष द्वारा म्युनि ओफिस में मटकिया फोड़कर विरोध प्रदर्शन

aapnugujarat

કોડીનારના ડોળાસા ગામમાં પશુઓમાં હડકવાથી ભયનો માહોલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1