ભાવનગરના પાલીતાણાના ૧૦ ગામોના સરપંચોએ પાણી મુદ્દે કલેકટર કચેરીએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો.
પાલીતાણા તાલુકાના ૧૦ ગામોમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી ન આવતા લોકો રોષે ભરાયા છે.તમામ ગામોના સરપંચો દ્વારા કરાયેલી રજૂઆત બાદ પણ પાણી આપવામાં ન આવતા સરપંચોએ નાયબ કલેકટર કચેરી પર માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો.
આજે સાંજ સુધીમાં પાણી નહિ આપવામાં આવે તો ટ્રેકટરો ભરીને ૧૦ ગામના લોકો નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચી આમરણાંત ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. લોકોમાં ચર્ચા છે કે, સ્થાનિક ધારાસભ્ય સાથે વેર વાળવા લોકોને પાણી નથી અપાતું. પમ્પીંગ સ્ટેશનમાં ત્રણ મોટર હોવા છતાં મોટર બળી ગઈ હોવાના બહાના કાઢવામાં આવે છે. જેથી હવે ધારાસભ્ય પ્રવીણ રાઠોડ પાણી પુરવઠા પ્રધાનને રજૂઆત કરશે.