કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું કે રામ મંદિરને લઈને માહોલ બની રહ્યા છે. કારણ કે ઉત્તપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર છે અને કેન્દ્રમાં મોદી સરકાર છે. બન્ને જગ્યાએ બહુમતની સરકાર છે. ઉમા ભારતીએ વધુમાં કહ્યું કે દુનિયાની કોઈ તાકાત રામ મદિર બનાવથી નહી રોકી શકે. રામ મંદિર ત્યાંજ બનશે જ્યાં મંદિરની જમીન છે.ઉમા ભારતીએ કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અપીલ કરી કે તેઓ તેમની સાથે અયોધ્યા ચાલીને શિલાન્યાસ કરાવે. રામ મંદિર નિર્માણ માટે તેમના જે જૂના પાપ છે તે બધા ધોવાઈ જશે.
જણાવી દઈ કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે મંદિર માટે સરકાર કોર્ટના ચૂકાદાની રાહ ના જુવે, સંસદમાં કાયદો બનાવી અયોધ્યામાં રામમંદિર બનાવે. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે દિવાળી પર ખુશખબરી લઈને અયોધ્યા જઈ રહ્યા છે.
પાછલી પોસ્ટ