Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝારખંડનાં હજારીબાગ રેલવે સ્ટેશન પર ટ્‌વીન બ્લાસ્ટ

ઝારખંડના હજારીબાગ રેલવે સ્ટેશન પર રવિવારે મોડી રાત્રે ટ્‌વીન બ્લાસ્ટના કારણે ભારે અફડાતફડી મચી ગઈ હતી. લોકોમાં પણ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. કોલકતાથી દિલ્હી વાયા ગયા અને ધનબાદની રેલવે લાઈન ઉપર પડતા રેલવે સ્ટેશન પર આ બ્લાસ્ટ થયો હતો. રવિવારે રાત્રે ઓછી તીવ્રતામાં બે બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા. ત્યારબાદ આસપાસના વિસ્તારોમાં પણ દહેશત ફેલાઈ ગઈ હતી. આ બ્લાસ્ટમાં એક બાળકને હાથમાં ઈજા થઈ હતી. તેને ધનબાદની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બ્લાસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી વિસ્ફોટક સામગ્રીના સંબંધમાં હજુ સુધી માહતી મળી શકી નથી. સાક્ષીઓના કહેવા મુજબ આ વિસ્ફોટકો એક બેગમાં મુકવામાં આવ્યા હતા. સ્ટેશન ઉપર પડેલી બેગમાં વિસ્ફોટકના સંદર્ભમાં સમસયસર માહિતી મળી શકી ન હતી. પોલીસ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી ચુકી છે. બ્લાસ્ટમાં કોઈ સંગઠનનો હાથ છે કે કેમ તે અંગે પણ હજુ પુરતી માહિતી મળી શકી નથી.

Related posts

भारत में गायों की निगरानी करने के लिए भी इस्तेमाल होगा 5जी नेटवर्क

aapnugujarat

મોનસૂન સત્રમાં ત્રણ તલાક,ઓબીસી,દુષ્કર્મને આકરી સજા અંગેના બિલ પસાર કરવા સરકાર સજ્જ

aapnugujarat

પુલવામા હુમલા મામલામાં એનઆઈએ દ્વારા તપાસ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1