Aapnu Gujarat
રાષ્ટ્રીય

શું કરું સાહેબ, પત્નીનાં હાથ પગ દબાવવા પડતાં હોવાથી નોકરીએ આવવામાં મોડું થાય છે ….

નોકરી પર લાંબા સમયથી ગેરહાજર રહેનાર વડોદરાના સરદાર સરોવર નિગમના એક અધિકારીને જ્યારે સરકારે નોટિસ ફટકારી ત્યારે તેમણે જવાબમાં લખ્યુ હતુ કે હું ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છું અને તેના કારણે હું નોકરી પર આવી રહ્યો નથી.
આવો જ ઉટપટાંગ જવાબ યુપીના એક સરકારી અધિકારીએ આપ્યો છે.યુપીના ચિત્રકૂટ ખાતેના કોમર્શિયલ ટેક્સની ઓફિસમાં ફરજ બજાવતા અશોક કુમાર નામના અધિકારીએ આપ્યો છે.ઓફિસે રોજ મોડા આવનાર અશોકકુમારનો જ્યારે આસિસટન્ટ કમિશનર એસ એસ વર્માએ ખુલાસો પૂછ્યો ત્યારે આ મહાશયે લેટર લખીને જવાબ આપ્યો હતો જેમાં તેમણે લખ્યુ હતુ કે મારી પત્નીની તબિયત ખરાબ રેહ છે.મારે જમવાનું બનાવવું પડે છે અને પત્નીનું શરીર દુખતુ હોવાથી તેના હાથ પગ પણ દબાવવા પડે છે.રોટલી બળી જાય તો પત્ની ગુસ્સે થઈ જાય છે.ઉપરથી ઓફિસ આવવાનો રોડ પણ ખરાબ છે.ઘરેથી વહેલા નીકળીએ તો ટ્રાફિક જામમાં મોડુ થઈ જાય છે.માટે વિનંતી છે કે હું કાલથી પત્નીને સેવા વહેલી કરી લઈશ અને ઓફિસે આવવા થોડો વહેલો નીકળીશ.બાકી સાહેબ તમે પોતે પણ સમજદાર છો.ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખઈને મારુ સ્પષ્ટીકરણ સ્વીકારશો તેવી વિનંતી છે.

Related posts

યોગી આદિત્યનાથ થયા કોરોના સંક્રમિત

editor

गोरक्षा के नाम पर हत्या करना हिंदुत्व के खिलाफः शिवसेना

aapnugujarat

અસમથી પાંચ વધુ રોહિંગ્યા મુસ્લિમોને મ્યાંમાર પાછા મોકલાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1