Aapnu Gujarat
મનોરંજન

ચોક્કસ ફેશન ટ્રેન્ડને અનુસરતી નથી : વાણી

હોનહાર અભિનેત્રી વાણી કપૂરે કહ્યું હતું કે હું કોઇ ચોક્કસ ફેશન ટ્રેન્ડને અનુસરતી નથી. મને સગવડ ભર્યાં અને સારાં લાગે એવાં વસ્ત્રો પહેરી લઉં છું. ’મેં કદી કોઇ ફેશન ટ્રેન્ડનું અનુસરણ કર્યું નથી. હું એવી વાતોમાં માનતીજ નથી. આપણને જે કપડાં શોભે અને સગવડ ભરેલાં લાગે એ પહેરવામાં માનતી રહી છું. જો કે એનો અર્થ એેવો
પણ નથી કે હાલ કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ હું જાણતી ન હોઉં. હું ફેશનના દરેક ટ્રેન્ડ વિશે પૂરતી માહિતી મેળવી લઉં છું. એમાંથી મારા કામનું સ્વીકારી લઉં છું. બાકીનું પડતું મૂકું છું’ એમ વાણીએ કહ્યું હતું.
એણે વધુમાં કહ્યું હતું કે ક્યારેક કોઇ રેમ્પ પર ચાલવાનું આવે કે કોઇ મેગેઝિનના કવર પર ચમકવા માટે મારે અમુક ટાઇપનાં કપડાં પહેરવાં પડે તો એ પ્રસંગ પૂરતું પહેરી લઉં છું. પરંતુ ત્યારબાદ એને સતત અનુસરતી નથી. મારી મૂળ સ્ટાઇલને પાછી અપનાવી લઉં છું.ઔએણે ઉમેર્યું કે પ્રસંગોપાત મારે જે પ્રકારની તૈયારી કરવી પડે એ હું કરું છું. મારું વ્યક્તિત્વ શોભે એ પ્રકારનાં વસ્ત્રો પહેરવામાં માનું છું. એ બાબતમાં હું સજાગ અને સભાન રહું છું. પ્રાસંગિક વસ્ત્રો પહેરવામાં મને કશો વાંધો વિરોધ હોતો નથી. તાજેતરમાં વાણીએ પાટનગર નવી દિલ્હીના એક મેાલ માટેે વેડિંગ સ્પેશિયલ વસ્ત્રોના પ્રચાર માટે કામ કર્યું હતું.

Related posts

सुशांत मामला : एनसीबी जांच में सारा, रकुल, सिमोन के भी नाम आए

editor

અદિતી હવે સાયકો નામની તમિળ થ્રીલર ફિલ્મમાં હશે

aapnugujarat

‘काली पीली’ में अनन्या और ईशान की जोड़ी आएगी नजर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1