Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપને પરાસ્ત કરવા કોંગ્રેસ સાથે કામ કરવા તૈયાર : મમતા બેનર્જી

પશ્રિ્‌ચમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે ભાજપ સો હિટલરની જેમ વર્તી રહી છે અને ભાજપને હરાવવા માટે પોતાને કૉંગ્રેસ સાથે કામ કરવામાં મને વાંધો નથી.
એક ઇન્ટરવ્યૂમાં મમતાએ જણાવ્યું હતું કે કૉંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધી સાથે એમના સંબંધો સૌહાર્દપૂર્ણ છે, પણ રાહુલ ગાંધી સાથે એમણે ક્યારેય કામ નથી કર્યું, તથા એ ખૂબ જુનિયર છે.
વડા પ્રધાનપદ માટેની ઇચ્છા વિશે પૂછવામાં આવેલા પ્રશ્ર્‌નના જવાબમાં મમતાએ જણાવ્યું હતું કે પોતાને એવી કોઇ ઇચ્છા તો નથી, પણ પોતે વડા પ્રધાનપદ માટેની રેસમાંથી બહાર પણ નથી નીકળવા માગતી.
મમતાએ જણાવ્યું હતું કે વડા પ્રધાનપદ માટેનો ઉમેદવાર ઘડવા કરતા, આવો આપણે મળીને કામ કરીએ. જ્યાં સુધી પક્ષની વિચારધારા અને ઇચ્છા સ્પષ્ટ હોય ત્યાં સુધી મને કોઇપણ પક્ષ સાથે કામ કરવામાં કશો વાંધો નથી. કૉંગ્રેસના સર્વોચ્ચ નેતા વિશે પૂછતા મમતાએ જણાવ્યું હતું કે જે વાત હું રાજીવજી કે સોનિયાજી વિશે કહી શકું, એ રાહુલ વિશે ન કહી શકું કારણ કે એ તો ખૂબ જુનિયર છે.
મને કશો વાંધો નથી. મારી ઇચ્છા બધા સાથે એક થવાની છે, પણ આ મારો એકલીનો નિર્ણય નથી. આ નિર્ણય બધી જ સ્થાનિક પાર્ટીઓનો હોવો જોઇએ. જ્યાં સુધી પક્ષની વિચારધારા, નીતિ અને ઇચ્છા સ્પષ્ટ હોય ત્યાં સુધી મને કોઇપણ પક્ષ સાથે કામ કરવામાં કશો વાંધો નથી.
કેટલાક સ્થાનિક પક્ષો કૉંગ્રેસ વગર ગઠબંધન જોડાણ કરવા માગતા હોવા વિશેના સવાલના જવાબમાં મમતાએ જણાવ્યું હતું કે હું એમનો વાંક નથી કાઢતી. હું એમ કહું છું કે ચાલો આપણે બધા મળીને ભાજપની વિરુદ્ધમાં એક થઇને કામ કરીએ. જો કોઇ સ્થળે કૉંગ્રેસ મજબૂત છે અને એને વધુ બેઠકો મળે છે, તો એને નેતૃત્વ કરવા દો. જો અન્ય કોઇ ઠેકાણે સ્થાનિક પક્ષો મળીને વધુ બેઠકો લાવે તો એ નિર્ણાયક સાબિત થઇ શકે છે.

Related posts

रेलवे की ‘१८२’ हेल्पलाइन शुरू : हररोज १०० शिकायत

aapnugujarat

रेलवे ने 15 अगस्त को लेकर निर्देश जारी किए

aapnugujarat

यह अच्छी खबर है कि चिदंबरम को गिरफ्तार किया गया है : इंद्राणी मुखर्जी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1