Aapnu Gujarat
મનોરંજન

સંજય દત્તની બાયોપિક બાદ રણબીરની વધુ નોંધ લેવાશે : દિયા મિર્ઝા

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને હાલમાં ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી પડેલી ખુબસુરત દિયા મિર્ઝાએ કહ્યુ છે કે બોલિવુડના વિતેલા વર્ષોના અભિનેતા સંજય દત્તની બાયોપિક ફિલ્મમાં કામ કર્યા બાદ યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર રણબીર કપુરની લોકપ્રિયતા અનેક ગણી વધી જશે. દિયા માને છે કે રણબીરની લોકપ્રિયતા દસ ગણી વધી જશે. રાજકુમાર હિરાની દ્વારા હાલમાં સંજય દત્તની બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપુર દ્વારા અદા કરવામાં આવી રહી છે. ફિલ્મમાં બે ત્રણ અભિનેત્રી કામ કરી રહી છે. જેમાં દિયા મિર્જા, સોનમ કપુર અને અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે. દિયાએ રણબીરની પ્રશંસા કરતા કહ્યુ છે કે તે શાનદાર અભિનેતા તરીકે છે. તે કોઇ પણ એક્ટિંગ કરી શકે છે. તેને લઇને કોઇ બે મત નથી. તેની સાથે કામ કરવાથી ઘણુ જાણવા મળ્યુ છે. તે ખુબ કુશળ અને શાનદાર અભિનેતા છે. ફિલ્મમાં સંજય દત્તની પત્નિ માન્યતાની ભૂમિકા અદા કરી રહેલી દિયા મિર્જાએ કહ્યુ છે કે ફિલ્મ ખુબ શાનદાર રહેનાર છે. તેનુ કહેવુ છે કે તે જેટલા પણ અભિનેતા સાથે કામ કરી ચુકી છે કલાકારો પૈકી રણબીર કપુર વધારે લોકપ્રિય સ્ટાર છે. દિયા મિર્જા ચોક્કસપણે માને છે કે સંજય દત્તની બાયોપિક ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ રણબીર કપુરની લોકપ્રિયતા દસ ગણી વધી જશે. રણબીર કપુર હાલના સમયમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. રણબીર કપુર સંજય દત્તની ફિલ્મ કરીને ભારે ખુશ દેખાઇ રહ્યો છે. રણબીર હાલના સમયમાં સૌથી સફળ અને કુશળ નવા અભિનેતા તરીકે ઉભરી ચુક્યો છે. તે એક ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે પણ કામ કરી રહ્યો છે.

Related posts

करण की फिल्म ‘कलंक’ के लिए १५ करोड़ का सेट

aapnugujarat

સમ્રાટ પૃથ્વીરાજ માટે સની દેઓલ હતો પહેલી પસંદ

aapnugujarat

તોરબાજ ફિલ્મ મળતા હવે નરગીસની કેરિયર વધી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1