Aapnu Gujarat
ગુજરાત

જનતાએ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસને બેરોજગાર બનાવી

કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન હેઠળ ગઈકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમદાવાદના સાબરમતી વિધાનસભામાં ચાંદલોડીયા વિસ્તારમાં ડોર ટુ ડોર જઈને જનસંપર્ક કર્યો હતો.નર્મદાના નીર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચાડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામા આવેલા ભગીરથ પ્રયાસ માટે તેમણે અભિનંદન આપ્યા હતા.તેમણે કહ્યુ,ખેડૂતોના ચહેરા પર સ્મિત જોઈને હુ ગદગદ થઈ ગયો છું.જાવડેકરે મીડીયા સેન્ટર ખાતે યુવાનો સાથે આગળ વધતુ ગુજરાત પત્રિકાનુ વિમોચન કર્યુ હતુ.પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યુ હતુ કે,ગુજરાતે હંમેશા યુવાઓ કે લીયે-યુવાઓ કે સાથ રહીને ગુજરાતના વિકાસમાં યુવાનોના યોગદાનને બિરદાવ્યુ છે.જાવડેકરે રાહુલ ગાંધીને ટાંકતા કહ્યુ હતુ કે,કોંગ્રેસ બેરોજગાર થઈ ગઈ છે માટે તેમને ગુજરાતમાં રોજગારી દેખાતી નથી.દિલ્હીમાં એજન્ટોની આવક બંધ થઈ ગઈ છે માટે કોંગ્રેસ અકળાઈ ગઈ છે.રોજગારીના સાચા આંકડા મેળવીને રાહુલ ગાઘીએ રોજગારી વિશે વાત કરવી જોઈએ એમ ને એમ કંઈપણ બોલીને જુઠ્ઠાણા ફેલાવવા ન જોઈએ.હાલમાં જ આવેલા મેકેન્જીના રિપોર્ટ વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે,માત્ર એક મુદ્રા થકી જ કેન્દ્ર સરકારે ૯ કરોડથી વધુ લોકોને કોઈપણ જામીન વગર નાણાંકિય સગવડ કરી આપી છે અને ૭ કરોડ જેટલી રોજગારી ઉભી કરવામા સફળતા મેળવી છે.વર્ગ-૩ અને વર્ગ-૪માં ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરીને કોંગ્રેસના શાસનમાં સરકારી નોકરીમા ચાલતા ભ્રષ્ટાચાર,પરિવારવાદ,લાગ-લાગવગને ડામવામા સફળ થયા છીએ.માત્ર ગુજરાતમાં ૨૬ લાખ લાભાર્થીઓને મુદ્રા યોજનાના લાભો મળ્યા છે અને નવી ૧૩.૫ લાખ જેટલી રોજગારીની તકો ઉભી થઈ છે.યુ.પી.એ.ના ૧૦ વર્ષના શાસનમાં ગુજરાતને ૮થી પણ વધુ વખત સૌથી વધુ રોજગાર આપનારા રાજય તરીકે કોંગ્રેસની કેન્દ્ર સરકારે પ્રમાણપત્ર એનાયત કરેલ છે એ રાહુલ ગાંધીને ખ્યાલ હોવો જોઈએ.કોંગ્રેસનો પર્દાફાશ કરતા જણાવ્યુ કે,જુઠ્ઠુ બોલવુ ,જોરથી બોલવુ અને વારંવાર બોલવુ એ કોંગ્રેસની નીતિ રહી છે.આજે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે,ભાજપા મીડીયા ઉપર અંકુશ લગાવે છે તેની સામે તિવ્ર પ્રત્યાઘાત આપતા તેમણે કહ્યુ કે,રાહુલ ગાંધીને યાદ હોવુ જોઈએ કે,તેમના દાદી ઈન્દિરા ગાંધીએ લોકશાહીની હત્યા કરીને ઈમરજન્સી લગાવી હતી મીડીયાની સ્વતંત્રતા છીનવી હતી.જાવડેકરે તેમના પિતાને યાદ કરતા કહ્યુ કે,૧૯૭૫મા કેસરી સમાચારમા તેમના પિતાજી સંપાદન વિભાગમાં કાર્યશીલ હતા ત્યારે પોલીસ ત્યાં આવીને બેસી જતી હતી અને એક એક ખબરની ચકાસણી કરીને સરકાર વિરૂધ્ધની ખબરોને છપાવવા દેતી ન હતી.રાહુલ ગાંધી કયા મોંઢે લોકશાહીની વાત કરે છે.વિકાસને કોંગ્રેસે મજાક બનાવ્યો છે તે અંગે જાવડેકરે રાહુલ ગાંધીને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે,રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારમા આવે ત્યારે અમેઠી અને રાયબરેલી કે જ્યાં ૫૦ વર્ષથી પણ વધુ સમયથી તેમના જ પરિવારે શાસન કરેલુ છે તેના ફોટા લઈને આવે. ગુજરાતીઓને આપોઆપ સમજાઈ જશે કે,કોંગ્રેસે ૫૦ વર્ષમાં પોતાના જ મતક્ષેત્રમાં શું કર્યુ છે.તે દેશ અને ગુજરાતનુ શું ભલુ કરશે,કોંગ્રેસ સત્તાને બાપની બાપોતી સમજી બેઠી હતી પણ હવે દેશની જનતા હવે આવી જુઠ્ઠી કોંગ્રેસને જાણી ચૂકી છે.રાહુલ ગાંધી ગુજરાત આવીને જીએસટીના એક દર ૧૮ ટકા વિશે વાત કરે છે તો ત્યારે મારે તેમને પુછવુ છે કે,શુન્ય ટકા,પાંચ ટકા અને ૧૨ ટકામા આવતી વસ્તુઓને શું તે ૧૮ ટકામા લાવવા માંગે છે?કોંગ્રેસના બતાવવાના અને ચાવવાના જુદા છે.કોંગ્રેસ જીએસટી કાઉન્સીલની મીટીંગમાં સહમતિ આપે છે અને મીટીંગ પતાવીને બહાર આવીને જીએસટીનો વિરોધ કરે છે.આવી બેધારી નિતી વાળી કોંગ્રેસ પ્રજા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે.

Related posts

વિરમગામ એસટી ડેપો ખાતે મેડિકલ કેમ્પ યોજાયો અને ઓઆરએસનું વિતરણ કરાયુ

aapnugujarat

સ્વામી અવધેશાનંદ મહારાજ ૨૭મીએ અમદાવાદ આવશે

aapnugujarat

वाडज में डॉ. बाबासाहब प्रतिमा से चश्मे की फ्रेम कोई निकालकर ले गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1