Aapnu Gujarat
બિઝનેસ

વ્યાજદર હાલમાં યથાવત રહે તેવા એંધાણ

રિઝર્વ બેંક દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮માં હવે વ્યાજદરમાં કોઇ ઘટાડો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. કારણ કે, સીપીઆઈઅને ડબલ્યુપીઆઈ ફુગાવા બંનેમાં વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક દ્વારા પોલિસી રેટમાં કોઇ ઘટાડો કરવામાં આવનાર નથી. કોટક ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વિટી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રિટેલ ફુગાવો ૪.૭ ટકાની તરફ આગળ વધી ગયો છે. જ્યારે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ફુગાવો માર્ચ ૨૦૧૮ સુધી ૩.૬ ટકા તરફ આગળ વધી શકે છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સાતમાં પગાર પંચના હાઉસિંગ મકાન ભાડાભથ્થાને લઇને પણ સીપીઆઈ ફુગાવા પર વધુ દબાણ આવી શકે છે. માર્ચ ૨૦૧૮ સુધી સીપીઆઈ ફુગાવો ૪.૭ ટકા સુધી આગળ વધી શકે છે. રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૩.૩૬ ટકાની પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. શાકભાજી અને ફળફળાદીની કિંમતમાં વધારો થયો છે.

Related posts

ગૌતમ અદાણીએ ચાર કંપનીઓમાંથી થોડી ભાગીદારી વેચી

aapnugujarat

विदेशी बाजारों में तेजी से सेंसेक्स-निफ्टी भी बढ़त के साथ बंद हुए

aapnugujarat

એક્ઝિટ પોલ બાદ સેન્સેક્સમાં ૧૪૨૨ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1