Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતે માનવાધિકાર અંગેના US રિપોર્ટને ‘સંપૂર્ણ રીતે ભેદભાવપૂર્ણ’ ગણાવ્યો

ભારતે માનવાધિકારના કથિત ઉલ્લંઘન અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના તાજેતરના અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. અમેરિકાએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે મણિપુર અને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન થયું છે. ભારત સરકારે આ અહેવાલને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકી વિદેશ વિભાગનો આ દસ્તાવેજ પક્ષપાતી છે. આ પણ ભારત પ્રત્યેની તેમની નબળી સમજણ દર્શાવે છે. ભારતે અમેરિકામાં વંશીય હિંસા અને ગોળીબારના મામલાનો ઉલ્લેખ કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, વિવિધ સમાજ તરીકે, ભારત ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકારોનું સન્માન કરે છે. અમેરિકા સાથેની વાતચીતમાં અમે ત્યાંના મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે. આમાં જાતિ અને મૂળના આધારે થઈ રહેલા હુમલા, હેટ ક્રાઈમ અને ગન વાયોલન્સનો સમાવેશ થાય છે. રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, અમે વિનંતી કરીએ છીએ કે રાજકીય રીતે પ્રેરિત ઈનપુટ્સ પર આધારિત મૂલ્યાંકન ટાળવું જોઈએ. ભારત ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકારોનું સન્માન કરે છે.

ઈરાને તાજેતરમાં ઈઝરાયેલ સાથે વધેલા તણાવ વચ્ચે એક જહાજ જપ્ત કર્યું હતું. તેની ક્રૂ ટીમમાં 17 ભારતીયો સામેલ હતા. એક મહિલાને મુક્ત કરવામાં આવી છે, પરંતુ 16 લોકો હજુ પણ જહાજમાં છે. આ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ભારતે કોન્સ્યુલર એક્સેસ લઈ લીધું છે. તમામ 16 ભારતીયો સુરક્ષિત અને સ્વસ્થ છે. તેઓ બધા તેમના પરિવારના સંપર્કમાં છે. તેમને કોઈ તકલીફ નથી. તેમના પરત આવવાનો મામલો સંબંધિત કંપની સાથે કરવામાં આવેલા તેમના કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલો છે.
ચીની સેના બાંગ્લાદેશ ગઈ છે અને ત્યાંની સેના સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ હાથ ધર્યો છે. આના પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ચીનનું બાંગ્લાદેશનું પગલું ચિંતાનો વિષય છે. અમે અમારા પડોશીઓ પર ચાંપતી નજર રાખીએ છીએ. વિદેશ મંત્રાલયે તે પણ કહ્યું હતું કે, નેશનલ મ્યૂઝિયમ માટે ભારત-ફ્રાંસનો સહયોગ મહત્વપૂર્ણ છે. શા માટે ભારત જૂના સંસ્થાનવાદીઓને સહકાર આપી રહ્યું છે? તેના જવાબમાં રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતનો ઘણા દેશો સાથે વ્યાપક સહયોગ છે. આને મુદ્દો ન બનાવવો જોઈએ.

Related posts

ખાનગી કંપનીઓ પાકી નોકરી આપશે તો PF સરકાર ભરશે

aapnugujarat

પશ્ચિમ બંગાળમાં સુરક્ષા જવાનોના કેમ્પમાં શૂટઆઉટ, ૧ જવાન શહીદ

aapnugujarat

બિહારના બેગૂસરાય જિલ્લામાં યુનિફોર્મના રૂપિયા ન મળતા ટીચરે ગરીબની દીકરીઓના કપડાં ઉતરાવ્યાં

aapnugujarat
UA-96247877-1