બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર વેકેશન પર જતી હોય છે અને વેક્શન પરના તસવીરો પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. હાલમાં જ તેણે કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો અને તેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા ત્યારે હવે સારા અલી ખાન કેદારનાથ બાબાના દર્શન કરવા પહોંચી છે. ઈન્ટાગ્રામ પર તેણે તેની કેદારનાથની ટ્રીપના ફોટા શેર કર્યા છે.
સારા અલી ખાને કેદારનાથ નામની ફિલ્મ દિવાંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત સાથે કરી હતી. આ ફિલ્મમાં કેદારનાથમાં આવેલા પ્રલયને દર્શવવામાં આવ્યો હતો અને સારા અલી ખાન અને સુશાંતસિંહ રાજપૂતના પ્રેમને દર્શાવવામાં આવ્યો હતો. સારા અલી ખાને ફોટાના કેપ્શનમાં લખ્યુ છે કે, આજે જે હું છું તેને બનાવવા માટે અને આ બધુ આપવા માટે ધન્યવાદ.
સારા અલી ખાનની છેલ્લી ફિલ્મ હાલમાં જ રિલિઝ થઈ હતી. આ ફિલ્મનું નામ ગેસલાઈટ છે અને તેમાં સારા અલી ખાન સાથે ચિત્રાંગદા અને વિક્રાંત મેસીએ અભિનય કર્યો હતો. સારા અલી ખાનના ભવિષ્યના પ્રોજેક્ટની વાત કરીએ તો, સારા અલી ખાન જરા હટકે, જરા બચકે ચલો, એ વતન મેરે વતન, મર્ડર મુબારક અને જગન શક્તિ ફિલ્મમાં જોવા મળશે.