Aapnu Gujarat
રાષ્ટ્રીય

કુલગામમાં બેંક મેનેજરની ગોળી મારીને કરી હત્યા

બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક સ્કૂલ ટીચર રજનીબાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રજની જમ્મુ ક્ષેત્રના સાંબાની રહેવાસી હતી. રજની બાલાને કુલગામના ગોપાલપોરા વિસ્તારમાં ગોળી વાગી હતી, જ્યાં તે ટીચર તરીકે પોસ્ટેડ હતી. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે એક બેંક કર્મચારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ વિજય કુમાર તરીકે થઈ છે. વિજય મૂળ રાજસ્થાનનો હતો અને અહીંના કુલગામના આરેહ ગામમાં આવેલી બેંકમાં નોકરી કરતો હતો. વિજય કુમારને બેંકની અંદર જ ગોળી વાગી હતી. રાજ્ય પોલીસે કહ્યું કે આતંકવાદીઓએ વિજય કુમાર પર હુમલો કર્યો અને ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગી ગયા. વિજય કુમાર ગુરુવારે પણ રાબેતા મુજબ બેંકમાં પોતાની ફરજ પર હતા. આ દરમિયાન તેઓ બેંકમાં ઘૂસી ગયા અને તેમને નિશાન બનાવીને ગોળીબાર કર્યો. આતંકવાદી હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયેલા બેંક મેનેજર વિજય કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે સુરક્ષા દળોએ આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં કાશ્મીરમાં સામાન્ય લોકો પર હુમલા વધી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખાસ કરીને રાજ્યના લઘુમતીઓ અને અન્ય રાજ્યોના લોકોને આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. ઘણા કાશ્મીરી પંડિતો પણ આતંકવાદીઓની ગોળીઓનો શિકાર બન્યા છે, જેના કારણે કાશ્મીરી પંડિતો લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સરકારને આ દિશામાં પગલા ભરવાની માંગ કરી રહ્યા છે. કાશ્મીરી પંડિતો પણ અસુરક્ષાની લાગણીને કારણે ખીણમાંથી હિજરત કરવાની વાત કરી રહ્યા છે.

Related posts

મિશન ૨૦૧૯ને ધ્યાનમાં લઇ કેબિનેટમાં મોટા ફેરફાર કરાશે

aapnugujarat

૨૦૦૦ રૂપિયાની નોટોની એકાએક તંગી

aapnugujarat

દેશમાં ટમેટાંનાં ભાવ ૧૫ દિવસમાં ચાર ગણા વધી ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1