Aapnu Gujarat
Uncategorized

ભાજપ અનુ. જાતિ મોરચાનાં પ્રદેશ મહામંત્રી વિક્રમ ચૌહાણ બે દિવસ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે

ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં નેતૃત્વ હેઠળ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીનાં પ્રચાર – પ્રસાર કાર્યક્રમમાં દરેક કાર્યકર્તાઓ અત્યારથી જ કામે લાગી ગયા છે જેનાં અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટી, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી વિક્રમ ચૌહાણ, તા. ૧૨ ઓક્ટોબરથી સૌરાષ્ટ્રની બે દિવની મુલાકાત લેશે. વિક્રમભાઈ સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ, જીતુભાઈ મણવર પણ જાેડાશે.
આ મુલાકાત વેળા તેઓ રાજકોટ જિલ્લા, પોરબંદર જિલ્લા, ગીર સોમનાથ જિલ્લા તેમજ જૂનાગઢ જીલ્લાની કારોબારીમાં હાજરી આપશે.
વિક્રમભાઈ ચૌહાણ ૧૨ ઓક્ટોબરનાં દિવસે સવારે ૧૧ વાગ્યે રાજકોટ જિલ્લા કારોબારીમાં હાજરી આપશે ત્યારબાદ તેઓ બપોરનાં ૪ વાગ્યે પોરબંદર જિલ્લા કારોબારીમાં પણ ઉપસ્થિત રહેશે. રાત્રિ રોકાણ પોરબંદરમાં કરશે.
તા. ૧૩ ઓક્ટોબરનાં રોજ વિક્રમ ચૌહાણ સવારે ૧૦ વાગ્યે ગીર સોમનાથ જીલ્લા કારોબારી બેઠકમાં હાજરી આપશે અને ત્યારબાદ બપોરે ૪ વાગ્યે જુનાગઢ જિલ્લા કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેશે અને સાંજે અમદાવાદ આવવા પરત ફરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત જિલ્લા બેઠકોમાં જે તે જિલ્લાનાં મોરચાનાં પ્રભારીઓ પણ ઉપસ્થિત રહેશે.

Related posts

માળનાથ ગ્રુપ દ્વારા લોકોને લક્ષ્મી બોંબ ન ખરીદવા અપીલ

editor

TMCના સાંસદ મહુઆ મોઇત્રાની ટીપ્પણી થી જૈન સમુદાય નારાજ

editor

૪૯માં અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનનો સમાપન કાર્યક્રમ તા.૨૦-૦૫-૨૦૧૮નાં રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૧:૦૦ કલાક દરમ્યાન યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ ગયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1