Aapnu Gujarat
મનોરંજન

દિપિકાએ પદ્માવતી ફિલ્મ માટે વધારે રકમ લીધી છે

દિપિકાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી ફિલ્મમાં કામ કરવા માટે વધારે રકમ લીધી છે. આ ફિલ્મના શુટિંગ દરમિયાન દિપિકાએ ચાર્જમાં વધારો કર્યો હતો જેથી સંજય લીલા નારાજ પણ થયા હતા.
જો કે તેઓ માની ગયા હતા. હવે આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણાહુતિના આરે પહોંચી ગયુ છે. દિપિકા હવે વધારે પ્રોફેશનલ વલણ અપનાવી રહી હોવાના હેવાલ મળ્યા છે. જો કે બોલિવુડમાં જાણકાર લોકો માને છે કે પોતાની બે ફિલ્મમાં દિપિકાને લઇ ચુકેલા સંજય લીલા સાથે દિપિકાએ યોગ્ય વર્તન કર્યુ નથી. ફીના મામલે તે વધારે પ્રોફેશનલ બની ગઇ છે.
સંજય લીલા પોતાના આગામી પ્રોજેક્ટને લઇને સક્રિય થયેલા છે. તેમની છેલ્લી ફિલ્મ બાજીરાવ મસ્તાનીને શાનદાર સફળતા મળ્યા બાદ હવે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે.
સંજય લીલા નવા પ્રોજેક્ટને લઇને તમામને ચોંકાવનાર છે. તાજેતરમાં જ મળેલી માહિતી મુજબ ભણસાલી હવે દિલ્હીના શક્તિશાળી સુલ્તાન અલાઉદ્દીન ખિલજી પર ફિલ્મ બનાવી રહ્યા
છે.  નજીકના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. અલાઉદ્દીન ખિલજી મેવાડની મહારાણી પદમિનીને લઇને ખુબ ઝનુની હતો.
એમ માનવામાં આવે છે કે યુવા પેઢીમાં લોકપ્રિય રણવીર સિંહ ફિલ્મ કેરિયરમાં સૌથી શક્તિશાળી ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે. ખિલજીના મામલે વિગત એકત્રિત કરવામાં આવી હતી. એવુ પણ જાણવા મળ્યુ છે કે રણવીરસિંહે ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા ખુબ મહેનત કરી છે. બીજી બાજુ ફિલ્મમાં શાહિદ કપુરે યાદગાર ભૂમિકા અદા કરી છે. શાહિદ અને દિપિકાની જોડી પ્રથમ વખત સાથે કામ કરવા જઇ રહી છે.

Related posts

सक्सेस के पीछे अमृता सिंह का बड़ा रोल हैं : सैफ

aapnugujarat

દીપિકા સાથે તેની તુલના કરવી અયોગ્ય : જેક્લીન

aapnugujarat

राजकुमार राव शाहरुख खान के फैन हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1