Aapnu Gujarat
ગુજરાત

ગોધરા ખાતે ખેડૂતોના સર્મથનમાં જીલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું

પંંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ આજે જીલ્લા સેવાસદન ખાતે કોંગ્રેસી આગેવાનોએ બેનરો સાથે દિલ્હીમાં ખેડુતોનાં અધિકારો અને હક ઉપર અન્યાય કરી અત્યાચાર ગુજારવામાં આવી રહેલ છે તેવા આક્ષેપો સાથે તેના વિરોધ માટે આવેદનપત્ર જીલ્લા કલેકટરને સોંપ્યું હતું. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે, દિલ્હીમાં પંજાબ – હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચીને કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. કેન્દ્રની ભાજપા સરકાર બહુમતીના જોરે દેશમાં ખેડુતોને અન્યાયકર્તા અને આવનાર સમયમાં તેમના અધિકારો અને હક ઉપર તરાપ મારતાં કૃષિ ખરડાને પસાર કરીને ખેડુતોમાં ચિંતા અને નારાજગીનું મોજુ ફરી વળેલ છે. આ કૃષિ કાયદાનો દેશમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે, જેના સમર્થનમાં ગોધરા ખાતે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ અજીતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રજુઆત કરતું એક આવેદનપત્ર જીલ્લા કલેકટર અમિતકુમાર અરોરાને સુપરત કરવામાં આવેલ છે. આવેદનપત્રમાં ખેડૂતોની વાજબી માંગણી સંતોષવા અને ખેડુતોને ન્યાય અપાવવા વિરોધ દર્શાવામાં આવ્યો હતો.
(અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

સુરતમાં પ્રેમી યુગલે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર

aapnugujarat

वडोदरा में मोबाइल चार्जिंग के दौरान फिल्म देखते हुए युवक की करंट से मौत

aapnugujarat

OMG : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નળમાંથી આવતું પાણી પીવાલાયક નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1