કોરોનાથી સાજા થયા બાદ ૨૮ દિવસ બાદ પ્લાઝમા ડોનેશન દ્વારા અમૂલ્ય જિંદગીઓ બચાવવાના રેડક્રોસ ભાવનગરના અભિયાન અંતર્ગત શહેર અને જિલ્લામાંથી પ્લાઝમા ડોનેશન માટે લોકો આગળ આવીને સ્વંયભુ પ્લાઝમાં આપી રહ્યા છે.“ ભાવનગરના ટેક્સ કલ્સન્ટન્ટ જીજ્ઞેશભાઈ મજીઠિયા દ્વારા તેમના જન્મ દિવસ નિમિત્તે સતત ત્રીજી વખત પોતાનું પ્લાઝમા આપવામાં આવ્યું હતું. જીજ્ઞેશભાઈ દ્વારા અગાઉ દર ૧૫ દિવસનું અંતર રાખીને બે વખત સર.ટી.હોસ્પિટલ બ્લડ બેંક જઈને પ્લાઝમા ડોનેશન કરવામાં આવ્યું હતું. જીજ્ઞેશભાઈને રેડક્રોસ અને સર.ટી.હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા અભિનંદન આપવામાં આવ્યાં હતાં.
(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)