તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સરપંચોની સત્તા પર કાપ મુકવાના નિર્ણયને વખોડી કાઢી દેત્રોજ- રામપુરા(ભંકોડા )ના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારી આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતોના સ્વતંત્ર હવાલા તલાટી કમ મંત્રીની સહીનો ઉમેરો કરી સરપંચોની ગ્રામ પંચાયતમાં અડચણ ઉભી કરે છે જે પરિપત્ર રદ કરવા વિનંતી છે. જો પરીપત્ર રદ કરવામા ન આવેતો લોકશાહી નું ખંડન કરવાનું કામ થઇ રહ્યું છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંઘીચિંઘ્યા માર્ગે આંદોલન કરવા ની ચીમકી દેત્રોજ- રામપુરા( ભંકોડા )ના સરપંચોએ ઉચ્ચારી છે. તેમજ ગ્રામ સભા બોલાવવાની સત્તા સરપંચ પાસે છે, તે સરપંચો પાસે જ હોવી જોઈએ તે પણ માંગ કરવામાં આવી છે.
રિપોર્ટર-પીયૂષ ગજ્જર, વિરમગામ