નર્મદા બાર એસોસિએશનની ચૂંટણીમાં કોઈ જ અન્ય ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા હોદ્દેદારો બિનહરીફ જાહેર કરાયા હતા. અગાઉ સતત પાંચ વખત ચૂંટાઈ આવેલા વંદના ભટ્ટ ફરીવાર પ્રમુખ બન્યાં છે.
રાજપીપળા કોર્ટમાં નર્મદા બાર એસોસિએશનના હોદ્દેદારોની ચુંટણી યોજાઈ હતી જેમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા હતા કેમ કે અન્ય કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી ન નોંધાવતા આખરે તમામને હોદ્દા પર યથાવત રાખ્યા હતો જેમાં વંદનાબેન ભટ્ટ સતત છઠ્ઠી વાર પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા છે. ઉપપ્રમુખ તરીકે સંગ્રામસિંહ માત્રોજા, સેક્રેટરી તરીકે બલવંત વસાવા, જોઇન્ટ સેક્રેટરી તરીકે આદિલ ખાન પઠાણ બિનહરીફ ચૂંટાયા હતા.ચૂંટણી કમિશનર તરીકે ભદ્રેશ ચોક્સી, અશ્વિનાબેન શુકલ અને મિનલ બારોટે સેવા આપી હતી.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)