Aapnu Gujarat
ગુજરાત

નર્મદા બાર એસોસિએશનની ચૂંટણીમાં ફરીવાર વંદના ભટ્ટ પ્રમુખ તરીકે ચૂંટાયા

નર્મદા બાર એસોસિએશનની ચૂંટણીમાં કોઈ જ અન્ય ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા હોદ્દેદારો બિનહરીફ જાહેર કરાયા હતા. અગાઉ સતત પાંચ વખત ચૂંટાઈ આવેલા વંદના ભટ્ટ ફરીવાર પ્રમુખ બન્યાં છે.
રાજપીપળા કોર્ટમાં નર્મદા બાર એસોસિએશનના હોદ્દેદારોની ચુંટણી યોજાઈ હતી જેમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા હતા કેમ કે અન્ય કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી ન નોંધાવતા આખરે તમામને હોદ્દા પર યથાવત રાખ્યા હતો જેમાં વંદનાબેન ભટ્ટ સતત છઠ્ઠી વાર પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા છે. ઉપપ્રમુખ તરીકે સંગ્રામસિંહ માત્રોજા, સેક્રેટરી તરીકે બલવંત વસાવા, જોઇન્ટ સેક્રેટરી તરીકે આદિલ ખાન પઠાણ બિનહરીફ ચૂંટાયા હતા.ચૂંટણી કમિશનર તરીકે ભદ્રેશ ચોક્સી, અશ્વિનાબેન શુકલ અને મિનલ બારોટે સેવા આપી હતી.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

કચ્છની પુરાતન વિરાસતને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો

editor

અંધશ્રધ્ધા દુર કરવા સુરત જીલ્લાના કડોદરામાં 400 જેટલા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા

aapnugujarat

એલજી હોસ્પિટલે દર્દીને બેસાડી રાખ્યો, અંતે રેલવે કર્મચારીનું નિધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1