Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી રાફેલની દલાલીના પૈસા ધારાસભ્ય ખરીદવામાં લગાવ્યા છે : કેજરીવાલ

લોકસભાની ચૂંટણીને લઇને રાજકિયા પાર્ટીઓ વચ્ચે ગરમાગરમી ચાલી રહી છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાંક દિવસોથી વેપારીઓ અમારી પાસે આવી રહ્યાં છે, તેમણે ઘણા વર્ષે ભાજપનો સાથ આપ્યો પણ આજે મોદી સરકારથી તેઓ નારાજ છે. મોદી સરકારે વેપારીની કરોડરજ્જુ તોડીનાખી છે, વેપારીઓ અનાથ હોવાનું અનુભવી રહ્યાં છે અને ભાજપને છોડી ક્યાક જવા માંગે છે.કેજરીવાલે કહ્યું કે, રાફેલની દલાલીમાં જે પૈસા કમાયા તે ધારાસભ્ય ખરીદવામાં લાગાવી રહ્યાં છે.
વેસ્ટ બંગાળમાં ૪૦ ધારાસભ્યો ખરીદી રહ્યાં છે તેવી જ રીતે અમારા ધારાસભ્યો ખરીદશે. તેમણે કહ્યું, ઇમરાન ખાન મોદીજીને ફરીવાર કેમ વડાપ્રધાન બનાવવા માંગે છે, મોદીજીના પાકિસ્તાન સાથે સીક્રેટ સંબંધ છે અને જ્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવે તો મોદીજી હુમલો કરાવે છે, આવો વ્યક્તિ રાષ્ટ્રવાદી કંઇ રીતે હોય શકે.

Related posts

ભાજપ ‘બ્લૂ ફિલ્મ’ દેખાડીને જીતવા માંગે છે ચૂંટણી : રાજ ઠાકરે

aapnugujarat

પાકિસ્તાનના એફ-૧૬નો કાટમાળ મળ્યો

aapnugujarat

સોનમ કપૂરે દિલ્હીનાં બિઝનેસમેન આનંદ આહુજા સાથે ધામધૂમથી લગ્ન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1