Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી રૂપાણીએ ઓડિશામાં રાહત કાર્ય માટે રૂપિયા ૫ કરોડની સહાય જાહેર કરી

સદીના સૌથી ભયાનક વાવાઝોડા બાદ ઓડિશાની સ્થિતિ કફોડી છે. ઠેરઠેર કાટમાળ પડ્યો છે અને તબાહીના દૃશ્યો સામે આવી રહ્યાં છે. વિશ્વના સૌથી મોટા બચાવ કાર્યના ભાગરૂપે અગમચેતીથી ૧૧ લાખ લોકોનું સ્થળાંતર કરાયું હોવા છતાં ફાની વાવાઝોડાએ રાજ્યમાં ૧૬ લોકોનો જીવ લીધો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ઓડિશામાં ૧ કરોડ લોકોનું જીવન ફાનીના કારણે પ્રભાવિત થયું છે. આ સ્થિતિમાં ઓડિશાને સહાયની જરૂરિયાત હોવાથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી રાહત નીધિમાંથી રૂપિયા ૫ કરોડની જાહેરાતનું એલાન કર્યુ છે.અગાઉ વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી ફાની બાદના રાહત કાર્ય માટે રૂપિયા ૧,૦૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદી સોમવારે ફાની પ્રભાવિત ઓડિશાની મુલાકાત લેશે. ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ ફાનીના કારણે ખાના ખરાબી થઈ છે તેમ છતાં જાનહાનિના સમાચાર નથી.ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે મૃતાંક વધીને ૧૬ થયો છે. ઓડિશાના આશરે ૧૦,૦૦૦ ગામડા અવને ૫૨ શહેરી વિસ્તારોમાં રાહત અને પુનર્વસનનું કામ શરૂ છે. આ વાવાઝોડાથી કારણે આશરે ૧ કરોડો લોકો પ્રભાવિત થયા છે.અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે ઓડિશાના મયુર ભંજમાં ૪, પુરી અને ભુવનેશ્વરમાં ૩ અને ક્યોંઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે.ઓડિશામાં ચક્રવાતી તોફાન ફાનીના કારણે અત્યાર સુધી ૧૬ લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, સારી બાબત એ છે કે સમયસર ઓડિશાના લગભગ ૧૦,૦૦૦ ગામો અને ૫૨ શહેરી વિસ્તારોમાં બચાવ અને રાહતનું કામ ચાલુ છે.

Related posts

ભાજપનો ઘમંડ ઉતારવા આ વખતે ગુજરાતની જનતા એક : સચિન પાયલોટ

aapnugujarat

ગુજરાત બજેટ : શિક્ષણ માટે ૨૭૫૦૦ કરોડ અપાયા : સ્તર વધુ સુધારાશે

aapnugujarat

સી.જી.રોડનાં ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1