દિલ્હીમાં લોકસભાની ચૂંટણી માટે ૧૨મીએ મતદાન થનારું છે, આ પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. આમ આદમીના પાર્ટીના ધારાસભ્ય અનિલ વાજપેયી પક્ષ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. તેઓ કેન્દ્રીય મંત્રી વિજય ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.વાજપેયી ગાંધીનગરના ધારાસભ્ય છે.
છેલ્લા કેટલાક દિવસથી તે આમ આદમી પાર્ટીથી નારાજ હતા. પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હીમાં કોંગ્રેસની સાથે ગઠબંધનના પ્રયાસો અને પાર્ટી તરફથી ઉતારવામાં આવેલા ઉમેદવારોને કારણે તેઓ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા.
આમ આદમી પાર્ટીનાં નેતા અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બુધવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા આપના સાત ધારાસભ્યોને પાર્ટી બદલવા માટે ૧૦-૧૦ કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે. આપના આક્ષેપ અંગે દિલ્હીના ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે જણાવ્યું હતું કે, આપના સાત નહીં પરંતુ ૧૪ ધારાસભ્ય અમારી સંપર્કમાં છે કારણ કે તેઓ પોતાની પાર્ટીથી નિરાશ છે.