Aapnu Gujarat
મનોરંજન

આગળ વધવા માટે ભુતકાળને ભુલવો જ પડે છે : કેટરિના કૈફ

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કેટરિના કૈફ પોતાના સંબંધો કરતા વધારે બ્રેકઅપને કારણે ચર્ચામાં રહે છે. વર્ષો પહેલાં જ્યારે તેના સંબંધો સલમાન ખાતે તુટ્યા હતા ત્યારે જેટલી ચર્ચા થઈ હતી એટલી જ ચર્ચા તેના અને રણબીરના બ્રેકઅપ પછી થઈ છે. સલમાન સાથેના બ્રેકઅપ પછી રણબીર અને કેટરિનાની રિલેશનશીપ શરૂ થઈ પણ આ સંબંધ ખાસ આગળ વધી શક્યો નહોતો. આ બ્રેકઅપ પછી રણબીર કે કેટરિના કોઈએ કારણોની સ્પષ્ટતા નહોતી કરી પણ હવે કેટરિનાએ પહેલીવાર આ વિશે જાહેરમાં નિવેદન આપ્યું છે.
કેટરિનાએ હાલમાં મીડિયા સાથે રણબીર સાથેના બ્રેકઅપ વિશે ચર્ચા કરી છે. તેણે કહ્યું છે કે ’’આગળ વધવા માટે ભુતકાળને ભુલવો જ પડે છે. અમારા વચ્ચે જે કંઈ પણ થયું એમાં હું મારી ભુલની જવાબદારી લઈ શકું છું અને હું મારા તરફથી કઈ ભુલને અટકાવી શકતી હતી એની ચર્ચા કરી શકું છું. જોકે બીજા વ્યક્તિની જવાબદારી હું ન લઈ શકું. હું જ્યારે મારા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મારી માતાએ કહ્યું હતું કે જે મારી સાથે થઈ રહ્યું છે એવા અનુભવમાંથી દુનિયાની લાખો છોકરીઓ પસાર થઈ રહી છે. આ મામલામાં હું એકલી નથી. આના પછી મારા દિલને થોડી રાહત મળી અને હું મારા જીવનમાં આગળ વધવા લાગી.’’

Related posts

मुंबई में मोदीजी के लिए सच्चा प्यार नहीं दिखाई देता : रणबीर

aapnugujarat

ઉર્વશીની હેટ સ્ટોરી -૪ ફિલ્મ બીજી માર્ચે રજૂ કરાશે

aapnugujarat

ઇશા ગુપ્તા નવા વર્ષમાં સાઉથની ફિલ્મમાં દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1