હિન્દુસ્તાન નિર્માણ દળના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ ગુજરાતમાં ૧૫ બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો કે નવ મહિના પહેલા હિન્દુસ્તાન નિર્માણ દળની સ્થાપના થઇ અને ૪૦ દિવસમાં ૧૨થી વધારે રાજ્યોમાં લોકસભા માટે ૧૦૦ થી વધુ ઉમેદવાર મેદાનમાં ઉતારાયા છે.તોગડિયાએ પોતાના ચૂંટણી લડવાનો નિર્ણય કાર્યકરો પર છોડ્યો છે. તોગડિયાએ દાવો કર્યો કે તેમને કાશી, મથુરા અને અયોધ્યાથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવી રહ્યું છે. પણ કાર્યકરો મારું ભાવિ નક્કી કરશે.પ્રવિણ તોગડીયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ દેશભક્તિની વાત છોડી રાષ્ટ્રવાદની વાત કરવા લાગી છે. ખેડુતોને સ્વામીનાથન આયોગના લાભો ન આપ્યા. એટલુ જ નહીં, ભાજપે જીએસટી બાદ દેશનાં અર્થતંત્રની હત્યા કરી નાખી છે.