ભાજપ દ્વારા આગામી ૨૪ તારીખથી સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો આરંભ કરવામાં આવશે. ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક પર પ્રદેશ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાશે.આગામી ૨૪થી ૨૬ માર્ચ દરમિયાન ભાજપ દ્વારા રાજ્યમાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવશે. આ સંમેલનમાં કેન્દ્રિયા મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ હાજરી આપશે. ઉપરાંત ત્રણથી ચાર સ્થળો પર વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપશે.ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા એક સાથે ચૂંટણી સભાઓ યોજાશે અને ૨૪મીથી ચૂંટણી પ્રચારનો આરંભ કરાશે. ૨૪થી ૨૬ માર્ચ દરમિયાન દેશભરમાં ૫૦૦ સભાઓનું આયોજન કરવામાં આવશે. દેશભરમાં ૫૦૦ સ્થળોએ વિજય સંકલ્પ સભાઓ કરાશે. અંદાજે ૪૮૦ લોકસભા બેઠકો પર સભાનું આયોજન કરવામાં આવશે.ઉપરાંત ગુજરાતની ૨૬ બેઠકો પર દાવેદારો અંગે સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે દિલ્હીમાં આ માટે મંથન થશે. ભાજપના ચૂંટણી પ્રભારી ઓમ માથુર દિલ્હી પહોંચ્યા છે. જ્યાં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે બેઠક કરશે. ૨૬ બેઠકોના ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરાશે. ઉપરાંત ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થશે.ઉલ્લેખનીય છે કે, ગોવાના સીએમ મનોહર પરિકરનું અવસાન થતાં અમિત શાહનો ગુજરાત પ્રવાસ મોકૂફ રહ્યો હતો. જે બાદ હવે ગુજરાતની ૨૬ બેઠકોના ઉમેદવારોના નામ અને રાજકીય પરિસ્થિતિ અંગે ઓમ માથુર અમિત શાહ સાથે ચર્ચા કરશે.
આગળની પોસ્ટ