ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝન પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સે પોતાની રણનીતિનો ખુલાસો કરી દીધો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે આ સીઝનમાં તે પોતાની ટીમ માટે તમામ મેચોમાં ઓપનિંગ કરશે. રોહિતે ગઈ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી છે. પરંતુ આ સીઝનને લઈને તેણે સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તે આ વર્ષે તમામ મેચો માટે ઇનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે.રોહિતે મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ સેશન દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બેટિંગને લઈને મારી સમજ બિલકુલ સ્પષ્ટ છે. હું પહેલા પણ મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી ચૂક્યો છું અને ઇનિંગની શરૂઆત પણ કરી ચૂક્યો છું. ટીમને જ્યાં જરુર હશે હું ત્યાં રમવા માટે તૈયાર છું.
રોહિતે વધુમાં કહ્યું કે, મેં પહેલા કહ્યું એમ ટીમને મારી જે નંબર પર બેટિંગની જરૂર હશે, હું તે નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છું. પરંતુ આ વર્ષે હું આઈપીએલની તમામ મેચોમાં ઇનિંગની શરૂઆત કરીશ. હું ભારત માટે ઓપનિંગ જ કરું છું અને મેં એ જ સ્થાને રમતાં સફળતા મેળવી છે.હવે જો રોહિત શર્મા ઓપનિંગ કરે તો સવાલ એ છે કે નંબર ૪ પર કોણ બેટિંગ કરશે. આ સવાલનો જવાબ યુવરાજ સિંહ તરીકે નજરે આવે છે. જે આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો જોવા મળશે.
ટીમના ડાયરેક્ટર (ક્રિકેટ સંચાલન) ઝહીર ખાને કહ્યું કે, યુવી વર્ષોથી પોતાની ટીમને મેચ જીતાડતા આવ્યા છે. યુવીથી સારું આ કામ બીજું કોઈ ન કરી શકે. અમે તેને નેટ્સમાં જોયો છે, તેનું પ્રદર્શન સારું લાગી રહ્યું છે. આ સીઝનમાં તેની નજર સારા પ્રદર્શન કરવા પર રહેશે. યુવરાજના આવવાથી ટીમને મજબૂતી મળી છે.
આગળની પોસ્ટ