Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ખાલિસ્તાનીઓનો સાથ લઈ આઇએસઆઇએ લંડનમાં ભારતીયો પર હુમલો કર્યો

પુલવામા આતંકી હુમલા પછી વિશ્વમાં પાકિસ્તાનનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં લંડનમાં પણ ભારતીયોએ પાકિસ્તાનો વિરોધ કર્યો હતો. ત્યારે હવે માહિતી મળી રહી છે કે આ વિરોધથી ગભરાયેલાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ ખાલિસ્તાન સમર્થકો સાથે હાથ મિલાવ્યો છે. ૯ માર્ચે બપોરે લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ અનેક ભારતીયો પર હુમલાઓ કરાવ્યાં છે. લંડનમાં ભારતીય ઉચ્ચાયોગની બહારે અનેક ભારતીયો પોતાના કામ માટે એકઠાં થયા હતા. ત્યારે ખાલિસ્તાન સમર્થકો ત્યાં પહોંચ્યા હતા. સૌ પહેલાં તેઓએ ભારત વિરોધી નિવેદનો કર્યા જે બાદ ખાલિસ્તાની અને પાકિસ્તાનના ઝંડાઓ ફરકાવતાં ભારતીયો પર હુમલો કરી દીધો. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ અને ભારતીયોને માર માર્યો હતો. ખાલિસ્તાન સમર્થકોને પાકિસ્તાનની નાપાક ગુપ્તચર સંસ્થા આઇએસઆઇનો સાથ મળે છે.
પુલવામા એટેકને લઈને પાકિસ્તાનની ઘણી નિંદા થઈ રહી છે, ત્યારે આવા દેશ વિરોધીઓનો સાથ લઈને વિદેશોમાં રહેતાં ભારતીયોને ટાર્ગેટ બનાવી રહ્યાં છે. ૧૪ ફેબ્રુઆરીએ પુલવામા હુમલો થયાં બાદ, ૧૬ ફેબ્રુઆરીએ લંડનના માર્ગો પર ભારતીયોએ પાકિસ્તાન વિરૂદ્ધ મોટો વિરોધ કર્યો હતો. આ ભારતીયોએ પાકિસ્તાન મુર્દાબાદના સુત્રોચ્ચારો કર્યા હતા અને પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. આ પ્રદર્શનના ૯ દિવસ બાદ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને ત્યાંના આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા હતા.

Related posts

અમેરિકાએ કહ્યું- અમે હાફિઝ સઇદને આતંકી માનીએ છીએ, પાકિસ્તાન તેના પર કેસ ચલાવે

aapnugujarat

हजारों पश्तूनों ने पाक विरोधी प्रदर्शन किया

aapnugujarat

પાક.માં બે હિન્દુ યુવતીઓનાં બળજબરીથી લગ્ન અને ધર્માંતરણ મામલે ઈમરાન ખાને તપાસનો આદેશ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1