Aapnu Gujarat
Uncategorized

સિંહણ દ્વારા ઉછેર કરવામાં આવતા દીપડાના બચ્ચાનું 45 દિવસ પછી થયું કુદરતી મોત

સામાન્ય રીતે સિંહ અને દીપડા એક બીજાના દુશ્મન હોય છે પરંતુ જો કોઈ સિંહણ દીપડાના બચ્ચાનું લાલન પાલન કરે તો નવાઈની કહેવાઈને ? તો આવીજ એક નવાઈ પમાડે તેવી વિરલ ઘટના ગીરના જંગલ માં બની હતી પરંતુ દુર્ભાગ્યવર્ષ એ દીપડાના બચ્ચાનું હવે 45 દિવસ પછી મોત થઇ ગયું છે, વન અધિકારી એ એ દીપડા ના બચ્ચાનું નામ મોગલી અને તેની પાલક સિંહણ માતાનું નું નામ રક્ષા પડ્યું હતું
જંગલ ગીર નું હોય કે આફ્રિકાનું હોય હંમેશા સિંહ અને દીપડાઓ વચ્ચે દુશ્મનાવટજ હોય છે, જયારે જયારે આમનો સામનો થઇ જાય ત્યારે એક બીજાને મારી નાખવા માટે જીવલેણ હુમલાઓ કરતા હોય છે, પરંતુ દુનિયા ક્યાંય પણ ના બની હોય તેવી હેરત પમાડે તેવી ઘટના ગીરના જંગલ માંથી સામે આવી હતી, સૌને આશ્ચર્ય પમાડે તેવી ઘટના એ હતી કે એક સિંહણ એક દીપડાના બચ્ચાને સાચવી રહી હતી અને ઉછેરી રહી હતી અને વન અધિકારી એ એ દીપડા ના બચ્ચાનું નામ મોગલી અને તેની પાલક સિંહણ માતાનું નું નામ રક્ષા પડ્યું હતું, જોકે દુર્ભાગ્યવર્ષ એ દીપડાના બચ્ચાનું હવે 45 દિવસ પછી મોત થઇ ગયુંછે આ અંગે ગીર ફોરેસ્ટ પૂર્વ ના નાયબ વન સંરક્ષક ડૉ.ધીરજ મિત્તલે જણાવ્યું હતું કે દીપડાના બચ્ચાનું જન્મજાત આંતરડાની બીમારીના કારણે મોત થયું છે
સિંહણ દ્વારા દીપડા ના બચ્ચા ના લાલન પાલન ની આ જે વિરલ ઘટના બની હતી તેનું ગીર ફોરેસ્ટના પૂર્વ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ.ધીરજ મિત્તલ ખુદ દેખરેખ અને મોનીટરીંગ કરી રહ્યા હતા ડૉ.ધીરજ મિત્તલે જણાવ્યું કે 45 દિવસ સાથે રાયુ તે એક વાયરલ ઘટના છે. આ પ્રકારની ઘટના વિશ્વમાં ક્યાંય પણ બન્યા હોવાનું નોંધાયું નથી આફ્રિકાના જંગલમાં પણ આ પ્રકારની ઘટના ક્યારેય જોવાના આવી નથી.કારણ કે એક સિંહણ તેના બે બચ્ચાંની જેમજ દીપડાના બચ્ચાને સાચવી રહી હતી, દૂધ પણ પીવડાવી રહી હતી અને બીજા જાનવરો થી તેનું રક્ષણ પણ કરી રહી હતી અફસોસ વ્યક્ત કરતા વન અધિકારી ડૉ.ધીરજ મિત્તલે જણાવ્યું વધુમાં જણાવ્યું કે આ ઘટના સમગ્ર વિશ્વમાં હંમેશા અવિસ્મરણીય રહેશ
ગીરના જંગલમાં કુલ મળીને 700 થી વધારે સિંહો અને તેનાથી ડબલ વસ્તી દીપડાઓની છે પરંતુ અત્યાર સુધીમાં ક્યારેય આ પ્રકારની ઘટના ગીર માં જોવા મળી નથી, સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ ખૂંખાર પ્રજાતિના હોય છે પરંતુ આ ઘટના હંમેશા ને માટે પ્રાણીઓમાં પણ માતૃત્વ ની ભાવના દર્શાવતી સુપ્રસિદ્ધ વાર્તા જંગલ બુક ની યાદ અપાવતી રહેશે.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Related posts

રાજનીતિમાં આગળ વધો તો કોઇ સમુદાયનો ભાવ પૂછશે : ખોડલધામ ચેરમેન નરેશ પટેલ

aapnugujarat

એનસીપી પણ હવે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્ને કરશે આંદોલન

aapnugujarat

સુરેન્દ્રનગરની ‘હત્યારી સાવકી મા’નો કેસ નહીં લડે કોઇ વકીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1