કર્ણાટક વિધાનસભામાં બજેટ ૨૦૧૯-૨૦ રજુ કરવા કરતા પહેલા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વડાપ્રધાન અને કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા પર આકરા પ્રહારો કર્યા હતાં. કુમારસ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને સનસનાટીપૂર્ણ ખુલાસો કરવાની વાત કહી છે. તો કુમારસ્વામીએ એક ઓડિયો ટેપ પણ જાહેર કરી હતી જેમાં યેદિયુરપ્પા કથિત રીકે જેડીએસના ધારાસભ્યોને ઓફર આપી રહ્યાં હોવાનું જણાઈ આવે છે. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ સત્ય સામે લાવીને જ રહેશ્હે અને તેમની પાસે તેના આરોપો સાબિત કરવા માટેના પુરતા પુરાવાઓ પણ છે. વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા તેમણે કહ્યું હતું કે, તેઓ દેશમાં લોકતંત્ર ધ્વસ્ત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. હું વિરોધ પક્ષોને અપીલ કરૂ છું કે તેઓ આગળ આવે. તેમણે સંસદમાં વડાપ્રધાનનું સત્ય સામે લાવવું જોઈએ. એક તરફ પોતે પોતાને દેશના મસીહા તરીકે રજુ કરે છે જેમાં ભ્રષ્ટાચારનો અંત આણ્યાનો દાવો કરે છે તો બીજી બાજુ પોતના સાથીઓ અને મિત્રોને ભ્રષ્ટાચારનું પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યાં છે. કુમારસ્વામીએ એક ઓડિયો ક્લિપ જાહેર કરી હતી જેમાં કથિત રીતે યેદિયુરપ્પા જેડીએસના ધારાસભ્યના પુત્ર પોતાના પિતાને ભાજપ જોઈન કરવાના બદલામાં ઓફર કરી રહ્યાં છે. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની જાણકારી વગર યેદિયુરપ્પા આમ કરી જ ના શકે. આ વાતચીત જેડીએસના ધારાસભ્ય નગન્નગૌડાના પુત્ર શરન અને યેદિયુરપ્પા વચ્ચેની છે. જેમાં તેમણે ધારાસભ્યને ૨૫ લાખ રૂપિયા અને મત્રીપદની ઓફર કરી છે.