અમેરિકા બાદ હવે શ્રીલંકામાં પણ ભારતીય વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ૭૩ ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. ઈમીગ્રેશન એન્ડ એમિગ્રેશન ડિપાર્ટમેન્ટધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે ભારતીય મૂળના ૭૩ લોકોને મતુગામાની એક ફેક્ટ્રીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ વિઝાની સમય મર્યાદા પુરી થયા બાદ પણ અહીં રહી રહ્યા હતા.
ગત મહિને ઈંગિરિયાની ફેક્ટ્રીમાં કામ કરતા ૨૪ ભારતીય લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો વિઝાના સમયમર્યાદા બાદ પણ અહીં રોકાયા હતા. ધરપકડ કરવામાં આવેલા ભારતીયોને મિરિહાનામાં સ્થિત આવ્રઝન હિરાસત કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. જરૂરી ઔપચારિકતાઓ પૂરી થયા બાદ ધરપકડ કરવામાં આવેલા લોકોને ભારત મોકલવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકન અધિકારીઓએ કથિતરીતે દેશમાં બની રહેવા માટે એક નકલી વિશ્વવિદ્યાલયમાં દાખલો લેવાના ગુનામાં ૧૩૦ વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ ડ્યૂટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બુધવારે આ ધરપકડ કરી હતી.
આગળની પોસ્ટ