રાજ્યમાં પાણીની અછતની રાવ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. ડેમમાં પાણીની સ્થિતિ મામલે સરકારે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વરસાદ ઓછો પડવાથી જળાશયોમાં પાણી નથી આવ્યું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નવું પાણી નથી આવ્યું. ૩૦ જુલાઈ સુધી પાણીની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે રૂપાણીએ જણાવ્યું હતું કે, પાણી પુરવઠા, નર્મદા વિભાગ, સિંચાઈનું કોર્ડિનેશન કરી કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં વરસાદની ઘટ થતા ગુજરાતમાને પાણી માટે શિયાળામાં પણ તરસે મરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં ડેમમાં જળસંગ્રહના આંકડા જોતા ઉનાળો કપરો બની શકે છે.
રાજ્યના મોટાભાગના ડેમના તળિયા દેખાઇ રહ્યા છે. ૭૪ ડેમ સૂકાભઠ્ઠ જોવા મળ્યા છે. હાલમાં પણ છેવાડાના ગામોમાં પીવાનુ પાણી કે સિંચાઇના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. જેથી સરકારે હવે માસ્ટર પ્લાન બનાવ્યો છે. જેથી આગામી સમયમાં પાણીની તંગી નિવારી શકાય.