Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં તમામ મદ્રેસાઓ બંધ કરો નહી તો આઇએસનો પ્રભાવ વધશે : રીઝવી

ઉત્તર પ્રદેશના શીયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવીએ વડાપ્રધાનને પત્ર લખીને દેશમાં ચાલી રહેલા મદ્રેસાઓને બંધ કરવાની વાત કરી છે. વસીમ રીઝવીના મતે મદ્રેસાઓ આઇએસઆઇએસથી પ્રભાવિત થઇ રહ્યા છે. તેમના આવા મિશન ચલાવવા માટે બાળકોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.તેમણે પત્ર લખીને જણાવ્યું હતું કે, જો મદ્રેસાઓને બંધ કરવામાં નહી આવે તો આઇએસનો પ્રભાવ વધશે અને આવનારા ૧૫ વર્ષોમાં અડધાથી પણ વધારે મુસ્લિમ આઇએસના વિચારધારાના સમર્થક થઇ જશે.
તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ મિશનને આગળ વધારવા માટે માસૂમ બાળકોને નિશાન બનાવવામાં આવે છે અને અત્યારે આઇએસ વિશ્વનું સૌથી વધારે ખતરનાક આતંકી સંગઠન છે. આ સંગઠન ધીમે-ધીમે વિશ્વના મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. રીઝવીએ પત્રમાં ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું કે, આઇએસના સમર્થકો કાશ્મીરમાં દેખાયા છે. રીઝવી વડાપ્રધાને સલાહ આપી છે કે, મારા મતે તમામ મદ્રેસાઓને બંધ કરી દેવા જોઇએ અને બાળકોને શાળામાં મોકલવા જોઇએ. જો તેઓ તેમનું પ્રાથમિક શિક્ષણ બાદ તેમના ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે તો તેઓ કરી શકે છે. રીઝવીએ અગાઉ જણાવ્યું હતું કે, દેશમાં સમાન નાગરિક કોડ અંતર્ગત મુસ્લિમો માટે સમાન કાયદો હોવો જોઇએ.

Related posts

ઇપીએફઓ ખાતાધારકોને રાહત : પેન્શન ૨૦૦૦ કરાશે

aapnugujarat

એનઆરસી મુદ્દે રાજ્યસભામાં હંગામો

aapnugujarat

Pm Modi ने पहले ही दी थी कोविड-19 के बारे में चेतावनी : जावड़ेकर

editor

Leave a Comment

UA-96247877-1