Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતીય જનતા પાર્ટીના અધિવેશનની તૈયારી

દિલ્હીના રામ લીલા મેદાનમાં ૧૧ અને ૧૨મી જાન્યુઆરીના દિવસે ભાજપના રાષ્ટરીય અધિવેશનની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા આનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પહેલા આયોજિત આ અધિવેશન ખુબ મહત્વપૂર્ણ છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈને માહિતી આપતા કહ્યં છે કે, આ અધિવેશનમાં દેશભરના દરેક જિલ્લામાંથી કુલ મળીને ૧૨૦૦૦ પ્રતિનિધિ ભાગ લેશે. અધિવેસનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીયમંત્રી, રાષ્ટ્રીય હોદ્દેદારો સહિત અન્ય લોકો ઉપસ્થિત રહેશે. મનોજ તિવારીએ કહ્યું છે કે, રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ માટે ૨૪ વિભાગોની રચના કરવામાં આવી છે જેની જવાબદારી જુદા જુદા કાર્યકરોને સોંપવામાં આવી છે. પોતાની પૂર્ણ ક્ષમતાની સાથે આ રાષ્ટ્રીય અધિવેશનને સફળ બનાવવામાં આવશે.

Related posts

મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદનઃ મોદીને થપ્પડ મારવાની ઇચ્છા થાય છે

aapnugujarat

पुलावामा में 4 आतंकवादी गिरफ्तार

aapnugujarat

૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે કમલ હસન..!!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1