Aapnu Gujarat
ગુજરાત

જસદણ જીત્યા બાદ ભાજપા કોંગી કકળાટનો ફાયદો લેશે

જસદણ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓએ મોરચો ખોલતાં લોકસભાની ચૂંટણીમાં નવા સમીકરણો બનશેર. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો ઘોર પરાજય છતાં અને દેશભરમાં ભાજપ નબળો પડી રહ્યો હોવાથી ગુજરાતમાં કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓએ મોરચો માંડ્‌યો છે. ખાસ કરીને વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિરૂધ્ધ આંતરિક બળવાની સ્થિતિ બની રહી છે અને તેને લઇ ગુપ્ત બેઠકોનો દોર શરૂ થયો છે. આ નારાજ નેતાઓ આગામી સમયમાં નવી દિલ્હી જઈને રાહુલ ગાંધી સમક્ષ પ્રદેશ નેતાગીરી સામેનો પોતાનો આક્રોશ અને અસંતોષ વ્યક્ત કરે તેવી શકયતા બળવત્તર બની છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ આ બાબતમાં કેવું અને ક્યારે નિરાકરણ લાવી શકશે તેની સામે પણ મોટો પ્રશ્નાર્થ છે. આવી ઉભી થયેલી પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજકીય ફાયદો ઉઠાવશે એ નિશ્ચિત છે. કારણકે હાલમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થતાં અને કોંગ્રેસનું નવસર્જન થતા આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપના દિલ્હીના ટોચના નેતાઓ ચિંતીત છે. વિવિધ રાજ્યોમાં ભાજપ લોકસભાની કેટલી બેઠકો ગુમાવશે એવું અનુમાન અને ધારણા થઈ રહી છે. જે પ્રમાણે ગુજરાતમાં પણ ૧૦થી ૧૨ બેઠકોનું નુકસાન થવાની ભીતિ દિલ્હી ભાજપ હાઈ કમાન્ડને છે પરંતુ લોકસભાની ચૂંટણીના પાંચથી છ મહિના પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં કકળાટ ઉભો થતા અને સિનિયર નેતાઓનો જાહેરમાં અસંતોષ બહાર આવતા ભાજપના નેતાઓ ઉત્સાહમાં આવી ગયા છે. ખાસ કરીને ગુજરાતના રાજકારણથી પરિચિત વડાપ્રધાન મોદી અને અમિત શાહ કોંગ્રેસની આંતરિક પર નજર રાખીને બેઠા છે. આગામી સમયમાં કોંગ્રેસમાં કેવી સ્થિતિ ઉભી થઈ રહી છે તેને આધારે ભાજપ પોતાની રણનીતિ કરશે બીજી બાજુ ભાજપના સૂત્રો જણાવે છે કે મોદી અને શાહની વર્ષો જૂની પદ્ધતિ જોઈએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને અને અમુક નેતાઓને ભાજપમાં લાવી દેવાશે જે રીતે કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી લાવી સીધા મંત્રી બનાવી દેવાયા તે જ રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતાને પણ સત્તા અને આપીને તોડફોડની રાજનીતિ રમાશે એવું રાજકીય પંડિતો પણ કઈ રહ્યા છે.

Related posts

વડોદરામાં લેડીઝ ગારમેન્ટના ગોડાઉનમાં જુગાર રમતા છ વેપારીઓ ઝડપાયા

aapnugujarat

सोला भागवत में जन्माष्टमी महोत्सव का भव्य आयोजन

aapnugujarat

मोदी के नेतृत्व में इमानदारी की ओर चल पडा : रुपाणी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1