Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ધ્યાન હશે

કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાનુ બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટમાં ક્યા ક્યા પગલા લેવામાં આવનાર છે તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. વર્તમાન સરકારનુ આ અંતિમ બજેટ રહેશે. બજેટમાં રોજગારીની વધુ તક ઉભી કરવાના મામલે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બજેટ ઐતિહાસિક સાબિત થાય તેવી શક્યતા છે. બજેટમાં જવાનો, યુવાનો, ખેડુતો અને કર્મચારીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી સરકારે બજેટને લોકલક્ષી બનાવવા માટે તૈયારી કરી છે. હાલમાં ત્રણ રાજ્યોમાં ચૂંટણીમાં હાર થયા બાદ તેમાં ખેડુતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે નોટબંધી અને જીએસટી બાદ સામાન્ય લોકોની તકલીફને ઓછી કરવા અને વધારે રાહત આપવા માટે બજેટમાં ઇન્ડસ્ટ્રીઝ અને ખેડુતો પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. તેમની અપેક્ષાને પૂર્ણ કરવા માટે જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધીઓ પોત પોતાની રજૂઆત કરી ચુક્યા છે. અગાઉ ક્યારેય નહી લેવામાં આવેલા પગલા હવે લેવાઇ રહ્યા છે. ગરીબ વર્ગને વધારે પ્રાથમિકતા બજેટમાં આપવામાં આવનાર છે. ટેક્સ ટાઇલ, એન્જિનિયરિગ, મેન્યુફેકચરિંગ, પ્રોસેસિંગ, પંપ મોટર્સ સહિતના ક્ષેત્રો દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી ચુકી છે. સરકાર બજેટમાં મુખ્યરીતે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરનાર છે. એલપીજી સબસિડી છોડી દેવા પર પણ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે. યુવાનો રોજગારીને લઇને પરેશાન દેખાઇ રહ્યા હતા. આવી સ્થિતીમાં વર્તમાન સરકારના અંતિમ બજેટમાં મોદી સરકાર તમામ વર્ગને પ્રભાવિત કરવાના ઇરાદા સાથે બજેટ રજૂ કરી શકે છે.રોજગારીને લઇને નિરાશાજનક ચિત્ર રહ્યુ છે. રોજગારીના મોરેચે સરકારને અનેક પહેલ કરવાની તાકીદની જરૂરીયાત દેખાઇ રહી છે. હાલની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ રોજગારી, જીએસટી અને નોટબંધીના મુદ્દે પ્રહારો કર્યા છે.

Related posts

પાકે લશ્કરી સ્થળોને ટાર્ગેટ કરવા પ્રયાસ કર્યા છે : ભારત

aapnugujarat

સોપિયનમાં ત્રણ આતંકવાદી ઠાર

aapnugujarat

राहुल गांधी -कांग्रेस को टेक्नॉलोजी का जीरो ज्ञान : बीजेपी का पलटवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1