Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મંદિર નિર્માણ અને ટ્રીપલ તલાક પર કાયદો બન્યો તો કોર્ટમાં પડકારીશું : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે, ટ્રીપલ તલાક પર સંસદમાં કાયદો બનાવવાની સ્થિતી પર તેઓ તેને કોર્ટમાં પડકારશે. કેન્દ્ર સરકાર ટ્રીપલ તલાક પર અધિનિયમ લાવી છે. જેનો સમયગાળો ૬ મહિના હશે. જો તે પસાર થઇ જાય તો કોઇ વાંધો નહી પરંતુ તેને કાયદાનું રૂપ આપ્યું તો બોર્ડ તેને કોર્ટમાં પડકારશે.બોર્ડની કાર્યકારિણી સમિતિની યોજાયેલી બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં બોર્ડના સિનિયર સભ્ય કાસિમ રસૂલ ઇલિયાસે જણાવ્યું કે, આ અધિનિયમ મુસ્લિમ સમાજ સાથે સલાહ-સુચન કર્યા વિના તૈયાર કરવામાં આવ્યો છે અને જો સરકાર તેને સંસદમાં વિધેયક તરીકે રજૂ કરશે તો બોર્ડ દરેક ધર્મનિરપેક્ષ દળોને ભલામણ કરશે કે તેને પસાર થવા દે નહી.તેમણે જણાવ્યું કે, બોર્ડનું સ્પષ્ટ વલણ છે કે તે બાબરી મસ્જિદ મામલે કોર્ટના છેલ્લા નિર્ણયને સ્વીકારશે. બેઠકમાં તેમાં પણ સહમતી બની કે સરકાર મંદિર બનાવવા માટે અધિનિયમ કે કાયદો લાવવાના માગ સાથે ઝેરીલા નિવેદનો પર રોક લગાવે. બોર્ડના સિનિયર સભ્યએ આ તકે કહ્યું કે, અયોધ્યાના વિવાદિત સ્થળપર યથાસ્થિતી જાળવવાની સ્થિતીમાં કોઇ અધ્યાદેશ લાવી શકાશે નહી.

Related posts

‘લોકી રેન્સમવેર’ વાઇરસ જે કોમ્પ્યુટર લોક કરી, ખોલવા માટે માંગે પૈસા, સરકારે ચેતવણી કરી જાહેર

aapnugujarat

Amid all MPs from TN including 20 DMK member got invitation, MK Stalin not invited for PM swearing ceremony

aapnugujarat

हिंदी को थोपने को कोई प्रयास नहीं किया गया है : इसरो के पूर्व प्रमुख के कस्तूरीरंगन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1