Aapnu Gujarat
ગુજરાત

સરકાર લોકોના બંધારણીય હક પર તરાપ મારી રહી છે

બંધારણમાં રહીને પ્રવૃત્તિ કરવાનો દરેકને અધિકાર છે. મૂળભૂત અધિકારોને બંધારણે આપેલ છે તે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર છીનવી રહી છે. વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, નાગરિક સંગઠનો અને પ્રજાહિતમાં કામ કરતા સામાજિક સંગઠનો સાથે સંકલન-સંવાદ કરીને એક જૂથ કરવા અખિલ ભારતીય કોગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા નવનિયુક્ત અખિલ ભારતીય સિવિક એન્ડ સોશિયલ આઉટરીચ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ મધુસુદન મિસ્ત્રી એ પત્રકાર સાથે વાતચીત જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર નાગરિકોના હક્કો અને અધિકાર પર તરાપ મારી રહી છે. ભિન્ન મત રજુ કરનાર, સરકારની નીતિ સામે અલગ વાત રજુ કરનાર કે પછી વિવિધ સમાજ, ખેડૂત સમાજ, પાટીદાર સમાજ,અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતી, બક્ષીપંચ સમાજ પોતાના બંધારણીય હક્કો, શિક્ષણ, આરોગ્ય, રોજગાર માટે લડત ચલાવનાર સંગઠનો, નાગરિકોને રાજદ્રોહી, રાષ્ટ્રદ્રોહીના સિક્કા લગાવી રહી છે, રાજદ્રોહના ગુન્હાની કલમ ચણા-મમરાની જેમ ઉપયોગ થઇ રહ્યો છે. સત્તામાં ટકી રહેવા માટે ભાજપ શાસકો આ પ્રકારના કારનામા કરી રહી છે. જુઠું બોલવું , વારંવાર બોલવું તે ભાજપાની કાયમી આદત બની ગઈ છે.
રાજ્ય અને રાષ્ટ્રની નીતિ ઘડતર, રચનાત્મક કાર્યક્રમો, શિક્ષણ, આરોગ્ય, મહિલા-બાળકલ્યાણ, ખેતી, ખેતમજુરો, શ્રમિકોનો બહોળો વર્ગ આ દેશના રચનાત્મક કામમાં જોડવા સંસ્થાગત – વ્યકતિગત પ્રયત્નો અખિલ ભારતીય સિવિક એન્ડ સોસીયલ આઉટરીચ વિભાગ વિભિન્ન મત ધરાવનારને જોડવા માટે કામ કરશે. બંધારણ મુજબ નિર્ભય રીતે સંસ્થા હોય કે વ્યક્તિ કામ કરી શકે તે દિશામાં કામ કરવું જરૂરી છે.

Related posts

સ્વામી વિવેકાનંદ જયંતી નિમિતે ઑન લાઈન હિન્દી કવિ સંમેલન યોજાયું

editor

પાટીદારો બાદ આ સમાજના અગ્રણીઓએ પણ સરકાર પાસેથી તેમના પર લાગેલા કેસો પાછા ખેંચવાની માંગ કરી

aapnugujarat

બિનઅનામત આયોગની નીતિ કેબિનેટમાં નક્કી થવાના સંકેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1