Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિદ્યાર્થીએ આચાર્યને ગોળી મારી

ઉત્તર પ્રદેશના બિજનોરમાં ૧૦મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આચાર્યને ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વિદ્યાર્થી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અને કૉલેજના સ્ટાફે આચાર્યને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા છે. આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બિજનોરના નારાવલી ગામના વિદ્યાર્થી દીપાંશુએ આ વર્ષે શ્રી સાઈ ઈન્ટર કૉલેજ રાપપુરમાં ૧૦માં ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. એડમિશન મળ્યાની સાથે જ દીપાંશુએ અન્ય વિદ્યાર્થીઓ સાથે ઝઘડા અને મારપીટ શરૂ કરી દીધી હતી. ત્યારે કોલેજના આચાર્ય સંજીવ કુમારે તેને બોલાવી ચેતાવણી આપતાં ઝઘડા ન કરવાની ચેતવણી આપી હતી પણ દીપાંશુ ન જ સુધર્યો.
૨૫ ઓગસ્ટે પણ તેણે કોલેજના એક વિદ્યાર્થી સાથે મારપીટ કરી હતી જેને પગલે કોલેજ સ્ટાફની બેઠક બાદ વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ વાતથી નારાજ દીપાંશુએ બુધવારે આચાર્ય સંજીવ કુમાર પર ગોળી ચલાવી દીધી હતી. માથામાં અને ખભા પર ગોળી લાગવાથી સંજીવ કુમાર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. સ્કૂલમાં ગોળી ચાલતાં જ હડકંપ મચી ગયો હતો. ઘટના બાદ દીપાંશુ ત્યાંથી ભાગી ગયો હતો.

Related posts

સરદાર પટેલની પ્રતિમા મેડ ઇન ચાઈના છે : રાહુલ

aapnugujarat

અમરનાથમાં દર્શન કરનારની સંખ્યા ૨.૪૬ લાખથી વધુ

aapnugujarat

શરદ પવારે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1